ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ કર્યો નથી, ટપોરીઓનો ઉપયોગ કર્યો નથી તો પણ કાર્યકર્તાઓની મહેનતથી ભાજપનો ઝળહળતો વિજય થયો: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા મોરબી જિલ્લામાં જુદીજુદી 3 તાલુકા પંચાયતમાં આપના 6 ઉમેદવારો વિજેતા બન્યા મોરબી જિલ્લાની પાંચ પૈકી 4 તાલુકા પંચાયતોમાં કમળ ખીલી ઉઠ્યું: વાંકાનેર તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસ આંચકી લીધી વાંકાનેર પાલિકાનો ગઢ ભાજપે 21 બેઠક સાથે જાળવી રાખ્યો: 3 બેઠક બસપા-4 બેઠક કોંગ્રેસ ટંકારા પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો: 18 બેઠક ઉપર ભાજપ-6 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય કોંગ્રેસનાં ગઢમાં ગાબડું: માળીયા (મી) પાલિકાની 17 બેઠક ઉપર કોંગ્રેસ-7 માં ભાજપનો વિજય ઐતિહાસિક વિજયનું પુનરાવર્તન: મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં પંજો-સવારણાને જાકારો, 52 ને 52 બેઠક ઉપર ભગવો લહેરાયો મેજર અપસેટ: મોરબી જિલ્લા પંચાયતની 24 પૈકી 17 બેઠક ઉપર ભાજપ હોવા છતાં પ્રમુખ કોંગ્રેસમાંથી આવશે
Breaking news
Morbi Today

મોરબીના હરિહર  ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે કાલે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન


SHARE













મોરબીના હરિહર  ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે કાલે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન

મોરબીના બેલા ગામ પાસે આવેલ હરિહર  ધામ ખોખરા હનુમાન મંદિર ખાતે તા 24 ને રવિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીજી  અને રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું છે અને આ કેમ્પનો મોરબી, માળિયાના નેશનલ હાઈવે ઉપર આવેલા ગામોમાંથી વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તેના માટે નવા બસ સ્ટેશનથી ખોખર હનુમાન મંદિર અને માળિયા તાલુકા પંચાયતથી ખોખરા હનુમાન મંદિર જવા માટે સવારે  ૭-૩૦,૮-૩૦અને ૯-૩૦  કલાકે એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી માળિયા  હાઈવે ઉપર આવેલ તમામ ગામના લોકોને આ સેવાનો લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી.






Latest News