મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીના રામકૃષ્ણનગરમાં થયેલ વૃદ્ધની હત્યાના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE









મોરબીના રામકૃષ્ણનગરમાં થયેલ વૃદ્ધની હત્યાના ગુનામાં પકડાયેલા પાંચેય આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબીમાં આવેલ રામકૃષ્ણનગરમાં વૃધ્ધને સળગાવીને મારી નાખવામાં આવ્યા હતા જેથી હત્યાનો ગુનો મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો જે ગુનામાં પકડાયેલ આરોપી શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા, સંદીપ રાજેશભાઈ બોડા,  વિમલભાઈ નથભાઈ કામલીયા અને અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલાના વકીલો દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવા તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરીયાદીએવી ફરીયાદ આપી હતી કે, તા.૧૦/૦૪/૨૫ ના રોજ સાંજના ૧૯:૩૦ વાગ્યાના અરસામાં ફરીયાદીના દીકરા સાથે આરોપી શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયા અને જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલાને ફોન ઉપર કોઈ બાબતે બોલાચાલી થયેલ હતી જેથી તે બંને ફરીયાદીના ધરે આવ્યા હતા અને ફરીયાદીના દીકરા સાહેદ નવધણના પેટમાં મુકકા માર્યા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી અને જતાં રહ્યા હતા ત્યાર બાદ ફરીયાદીના દીકરા સાહેદ કારુભાઈનુ મોટર સાઈકલ સ્લીપ થતાં પગમાં ઈજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા ત્યાં બંને આરોપી આવ્યા હતા અને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને મરણજનારને સારવારમાં દાખલ કરેલ ત્યાં જઈ આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા, સંદીપ રાજેશભાઈ બોડા,  વમલભાઈ નથભાઈ કામલીયા અને અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલાએ આવ્યા હતા અને માથાકુટ કરી હતી 

આટલું જ નહીં ફરીયાદીને આરોપીએ એવું કહ્યું હતું કે, “તારા ધરે જઈ જોઈ લે" તેમ કહી આરોપી જતાં રહ્યા હતા ત્યાર બાદ ધરે જઈને જોયું તો ફરીયાદીના પતીને તેઓના ઘર પાસે પડેલ ચંપલની લારીમાં આગ લગાવીને ત્યાં ધકકો મારી દેતાં ફરીયાદીના પતી મનુભાઈ દાજી ગયા હતા જેનું મોત નીપજયું હતું જેથી કરીને હત્યાનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ કેસ મોરબીના બીજા એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપી શની ઉર્ફે વેલો રમેશભાઈ લાલુકીયા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા પંચાલજી ઝાલા, સંદીપ રાજેશભાઈ બોડા, વીમલભાઈ નથુભાઈ કામલીયા અને  અનિરૂધ્ધસિંહ ઉર્ફે અશોકસિંહ ઉર્ફે બબભા બહાદુરસિંહ ઝાલા વતી મોરબીના યુવા ધારાશાસ્ત્રી વિવેકભાઈ કે. વરસડા રોકાયેલ હતા

આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવી હતી જેમાં તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે, આ કામે ફરીયાદી પક્ષ ફરીયાદથી વિરુદ્ધ અને વીપરીત હકીકત જણાવે છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ ફરીયાદ પક્ષએ સદરહુ બનાવ નિઃશંક પણે સાબીત કરવામાં નિષ્ફળ ગયેલ છે અને આરોપીઓ વિરૂધ્ધ પુરાવાઓ પુરવાર કરવામાં પણ નિષ્ફળ ગયેલ છે જેથી બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ વિવેકભાઈ કે. વરસડાની તમામ દલીલો ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપીઓ તરફે મોરબીના યુવા એડવોકેટ વિવેકભાઈ કે.વરસડા, મહાવીરસિંહ એ.જાડેજા, મહાવીરસિંહ એન.જાડેજા, જયરાજસિંહ એન.જાડેજા, જય જે.કગથરા, રાહુલ ગોલતર, રાહુલ બી.બસીયા રોકાયેલ હતા.






Latest News