મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના એસપી તરીકે મુકેશકુમાર પટેલે ચાર્જ સંભાળ્યો


SHARE













મોરબીના એસપી તરીકે મુકેશકુમાર પટેલે ચાર્જ સંભાળ્યો

રાજ્ય સરકાર તાજેતરમાં આઇપીએસ અધિકારીઓની બદલી કરી હતી જેમાં મોરબીના એસપી તરીકે સીઆઇડી ક્રાઇમ એસપી મુકેશકુમાર પટેલને મૂકવામાં આવ્યા હતા જેથી તેઓએ મોરબી આવીને વિધિવત રીતે મોરબીના એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અને આગામી સમયમાં મોરબીના લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી છે.

મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી અને વર્ષ 2008 માં મુકેશકુમાર પટેલ પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. ત્યાર બાદમાં તેઓ 2010 માં ડીવાયએસપી બન્યા હતા. અને 2017માં તેમને પ્રમોશન મળ્યું હતું. અને તેમણે આઈબી, એસઓજી તેમજ છેલ્લે પોણા ત્રણ વર્ષ સુધી સીઆઇડી ક્રાઈમમાં એસપી તરીકે ફરજ બજાવી હતી જો કે, સ્વાતંત્ર જિલ્લાના એસપી તરીકે મોરબીમાં તેઓને પ્રથમ પોસ્ટિંગ મળ્યું છે. અને તેઓએ મોરબી જિલ્લાના એસપી તરીકે ચાર્જ સાંભળી લીધેલ છે. અત્રે ઉલેખનીય છેકે, ફરજના ભાગરૂપે પણ કયારે તેઓને મોરબી શહેર કે જીલ્લામાં આવવાનું થયું નથી અને તેઓ પ્રથમ વખત મોરબી જિલ્લાના એસપી બનીને મોરબી આવ્યા છે જો કે, અહીની ટ્રાફિક તેમજ ઉદ્યોગને લગતી જે પણ સમસ્યાઓ હશે. તેને ધ્યાને લઈને તકલીફો દૂર કરવાની દિશામાં કામ કરવામાં આવશે તેમજ લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી તેઓએ ખાતરી આપી હતી.




Latest News