માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE













મોરબીમાં માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા જાગૃતિ સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા મોરબીની ગીતાંજલિ વિદ્યાલય ખાતે જાગૃતિ સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજમાં મહિલાઓના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે આજના સમયમાં માસિક સ્ત્રાવ(Menstruation) વિષયક ગેરમાન્યતાઓ દૂર કરવાની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હજુપણ અનેક વિસ્તારોમાં માસિક ચક્રને લઈને અંધશ્રદ્ધા, ભેદભાવ અને અયોગ્ય માન્યતાઓ જોવા મળે છે, જેના કારણે કિશોરીઓ અને મહિલાઓમાં માનસિક તણાવ, આરોગ્ય સમસ્યાઓ તથા આત્મવિશ્વાસની ઘટને સામનો કરવો પડે છે. માસિક ચક્ર એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે, બીમારી નહીં વગેરે બાબતોએ માહિતી આપવામાં આવી હતી. અને ઉપસ્થિત કિશોરીઓને સ્વચ્છતા, સેનિટરી પેડના યોગ્ય ઉપયોગ, આરોગ્યપ્રદ આહાર અને માનસિક રીતે સકારાત્મક રહેવા અંગે માર્ગદર્શન આપી સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોકુલનગર UPHC મેડીકલ ઓફિસર ડો. હિમાંશુ રાંકજા, મેડીકલ ઓફિસર ડો.જીગીશાબેન ઉદસાડિયા, જેન્ડર સ્પેશિયલિસ્ટ રાજદીપભાઈ પરમાર તથા કિશોરીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા મહિલા અને બાળ કચેરીની યાદીમાં જણાવાયું છે.




Latest News