વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા જાગૃતિ સેમિનાર યોજાયો


SHARE











મોરબીમાં માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા જાગૃતિ સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા માસિક સ્ત્રાવ અંગેની ગેર માન્યતાઓ દુર કરવા મોરબીની ગીતાંજલિ વિદ્યાલય ખાતે જાગૃતિ સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજમાં મહિલાઓના આરોગ્ય સંબંધિત મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા માટે આજના સમયમાં માસિક સ્ત્રાવ(Menstruation) વિષયક ગેરમાન્યતાઓ દૂર કરવાની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હજુપણ અનેક વિસ્તારોમાં માસિક ચક્રને લઈને અંધશ્રદ્ધા, ભેદભાવ અને અયોગ્ય માન્યતાઓ જોવા મળે છે, જેના કારણે કિશોરીઓ અને મહિલાઓમાં માનસિક તણાવ, આરોગ્ય સમસ્યાઓ તથા આત્મવિશ્વાસની ઘટને સામનો કરવો પડે છે. માસિક ચક્ર એ કુદરતી જૈવિક પ્રક્રિયા છે, બીમારી નહીં વગેરે બાબતોએ માહિતી આપવામાં આવી હતી. અને ઉપસ્થિત કિશોરીઓને સ્વચ્છતા, સેનિટરી પેડના યોગ્ય ઉપયોગ, આરોગ્યપ્રદ આહાર અને માનસિક રીતે સકારાત્મક રહેવા અંગે માર્ગદર્શન આપી સેનિટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોકુલનગર UPHC મેડીકલ ઓફિસર ડો. હિમાંશુ રાંકજા, મેડીકલ ઓફિસર ડો.જીગીશાબેન ઉદસાડિયા, જેન્ડર સ્પેશિયલિસ્ટ રાજદીપભાઈ પરમાર તથા કિશોરીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા મહિલા અને બાળ કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News