મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ ગામે કારખાનામાં રહેતા યુવાનનું તાવની સારવાર દરમ્યાન મોત: મહેન્દ્રનગર ગામે કેન્સરની બીમારીથી વૃદ્ધનું મોત


SHARE













વાંકાનેરના માટેલ ગામે કારખાનામાં રહેતા યુવાનનું તાવની સારવાર દરમ્યાન મોત: મહેન્દ્રનગર ગામે કેન્સરની બીમારીથી વૃદ્ધનું મોત

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને પાંચેક દિવસથી તાવ આવતો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા વૃદ્ધને ફેફસાનું કેન્સર હોય બિમારી સબબ તેનું મોત નીપજતા આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

વાંકાનેરના માટેલ ગામની સીમમાં લેટોજા સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરીકામ કરતાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અરવિંદભાઈ જોગડીયાભાઈ ગુડિયા (28) નામના યુવાનને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હતો અને તાવની બીમારી સબબ તેને રફાળેશ્વર પાસે આવેલ એપેક્સ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની નિતરીયાભાઇ માનસિંગભાઇ ગુંડીયા (34) રહે. હાલ સોનેક્ષ સીરામીકની પાછળ ગોડાઉનમાં લાલપર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોરબીમાં મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તારમાં હનુમંત એપાર્ટમેન્ટ બ્લોક નંબર 103 ખાતે રહેતા વેલજીભાઈ મૂળજીભાઈ સંઘાણી (67)ને છેલ્લા આઠેક મહિનાથી ફેફસાના કેન્સરની બીમારી હતી જેથી તેઓ પથારીવસ હતા અને તેનું મૃત્યુ નીપજ્યું હતું આ બનાવની મૃતકના પત્ની કાન્તાબેન વેલજીભાઈ સંઘાણી (67) રહે. મહેન્દ્રનગર વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના જુના ઘૂટું રોડ ઉપર સિમ્પોલો કારખાના સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સરતાજભાઈ સલીમભાઈ અન્સારી (30) રહે. જુના બસ સ્ટેશન પાસે લાટી પ્લોટ શેરી નંબર 10 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 460 રૂપિયાની રોકડ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.




Latest News