મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર


SHARE









માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર

માળીયા મિયાણાના મોટા દહિંસરા ગામ પાસે ફાયરિંગનો બનાવ બનેલ હતો જેથી આર્મ્સ એકટ તથા ખની હુમલો કરવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પકડાયેલ આરોપી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામી અને પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)એ તેઓના વકીલ મારફતે મોરબીના એડી. પ્રિન્સી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના પુરાવાઓને ધ્યાને લઈને બને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા(મીં) પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, મોટા દહીંસરા ગામ સામે ફરિયાદી પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી હતો ત્યાર અજાણ્યા વ્યક્તિએ તેના ઉપર ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ આપી હતી જે ગુનામાં પહેલા આરોપી તરીકે પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)ની ધરપકડ કરી અને ત્યાર બાદ ફરિયાદી જ તેના ઉપર ફાયરિંગ કરાવ્યુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ફરિયાદ તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીની આરોપી તરીકે ધરપકડ કરી હતી અને તે બંને આરોપી જેલમાં હતા દરમ્યાન તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીએ તેના વકીલ ગોપાલભાઈ ઓઝા અને પરેશ ગોપાલભાઈ ઉધરેજાએ તેના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપીના વકીલોએ કરેલ દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે શરતોને આધીન બંને આરોપીઓને મુક્ત કરવા માટેનો હુકમ કરેલ છે. આ કેસમાં તરૂણ ગામી તરફે ગોપાલભાઈ ઓઝા અને મેનાઝબેન પરમાર રોકાયેલ હતા જયારે આરોપી પરેશ ગોપાલભાઈ ઉધરેજા તરફે દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.






Latest News