મોરબીના જૈફવયના તબીબને સિનીયર સીટીઝન કાઉન્સીલે સન્માનિત કર્યા
SHARE
મોરબીના જૈફવયના તબીબને સિનીયર સીટીઝન કાઉન્સીલે સન્માનિત કર્યા
મોરબીમાં ગત તા.૫ ના રોજ ધન્વન્તરિ ભવન ખીતે સીનીયર સીટીઝન કાઉન્સીલના કાર્યક્રમ યોજાયો હતો જેમા સૌપ્રથમ પ્રવિણભાઇ મહેતાએ સૌને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા તથા જામનગરના દિપક ત્રિવેદીના અંગદાન નિમિતે ૬ વ્યકિતને નવુ જીવન મળેલ તથા સુહાષભાઇ જોષી વગેરેને નામી અનામી સદગતોને શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.ગુજરાતમાં ઘણા રમતોત્સવોમાં તથા અનેક મેરેથોન દોડ સ્પર્ધામાં સીનીયર સીટીઝન સભ્ય એવા હાડકાના સર્જન ડૉ.અનિલભાઈ પટેલ પ્રથમ ક્રમે વિજેતા થયેલા હોય તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. કવિ કાયમઅલી હઝારીએ તેમણે લખેલ પુસ્તક બ્રહ્મ ઉપર એક કલાક પ્રવચન આપેલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ. સામાન્ય જ્ઞાન કસોટીમાં પ્રથમ ડો.અનિલભાઇ પટેલને મહેશભાઈ ભટ્ટે હારતોરા કરી સન્માનીત કર્યા હતા તેમજ દ્વિતિય મેહુલભાઇ વાગડીયા, ભાવિપ્રસાદ રાવલ આવેલ હતા તથા આડેસરાભાઇ તથા રાંકજાભાઇ નિરીક્ષક (જજ) તરીકે રહ્યા હતા.તે બધાનું શાલ તથા મોમેન્ટ આપીને સન્માનિત કરાયેલ. શરદભાઇ સંપટનું પણ સામાજિક પ્રવૃત્તિઓ બદલ સડસ્થા દ્રારા સન્માન કરવામાં આવેલ.ડો.અનિલભાઇ પટેલે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપેલ.ઘણા વરિષ્ઠ નાગરિકોએ ભેગા થઈને સ્નેહમિલન સાથે સમુહભોજન કરેલ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટ સહીતની ટીમે જહેમત ઉઠાવી હતી.