ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને જીવનનો અંત આણ્યો : બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE













મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના બાપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી મચ્છુ-3 ડેમના પાણીમાં યુવાને ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ નરસીભાઈ મેવા (41) નામના યુવાનને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ-3 ડેમ ઉપરના પુલ ઉપરથી ડેમના પાણીમાં ઝંપલાવી દીધું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને  આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.  જોકે, યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે અને આ બનાવના લીધે બે દીકરીઓએ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મધર ટેરેસાના આશ્રમ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોઇનુદ્દીન ગુલામશબ્બીર માલાણી અને જેતુનબેન માલાણીને ઈજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તે બંનેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News