મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને જીવનનો અંત આણ્યો : બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE











મોરબીના મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબીના બાપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ ઓફિસ પાસે પુલ ઉપરથી મચ્છુ-3 ડેમના પાણીમાં યુવાને ઝંપલાવ્યું હતું જેથી પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા નિલેશભાઈ નરસીભાઈ મેવા (41) નામના યુવાનને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ જૂની આરટીઓ કચેરી પાસે મચ્છુ-3 ડેમ ઉપરના પુલ ઉપરથી ડેમના પાણીમાં ઝંપલાવી દીધું હતું અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને  આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.  જોકે, યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે અને આ બનાવના લીધે બે દીકરીઓએ તેના પિતાની છત્રછાયા ગુમાવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ મધર ટેરેસાના આશ્રમ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોઇનુદ્દીન ગુલામશબ્બીર માલાણી અને જેતુનબેન માલાણીને ઈજાઓ થઈ હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તે બંનેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News