મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા પીપળીયા રોડ પર નર્મદા કેનાલ ઉપરના બ્રિજ ઉપર ૧૫ દિવસ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ


SHARE













મોરબી : માળીયા પીપળીયા રોડ પર નર્મદા કેનાલ ઉપરના બ્રિજ ઉપર ૧૫ દિવસ સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાતા હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી અવસ્થામાં ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું

મોરબીમાં માળિયા શાખા નહેર નર્મદા કેનાલ SHRB પુલની સાંકળ ૧૩૬.૭૭૫ કિ.મી પર આવેલ સ્ટેટ હાઇવે ના ક્રોસિંગ પૂલ કે જે માળીયા પીપળીયા જામનગર સ્ટેટ હાઇવે પર ૦/૪૦૦ જે માળીયા થી મોરબી કચ્છ હાઇવે તરફ રેલવે ફાટકની પાસે આવેલું છે તે બ્રિજનું ઇન્સ્પેક્શન કરતા આ બ્રિજ હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી અવસ્થામાં ન હોવાથી આ બ્રિજ ના નવા બાંધકામની પ્રક્રિયા ચાલુ હોવાથી ૧૫ દિવસ સુધી ભારે ટ્રક કે અન્ય ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અન્વયે વૈકલ્પિક રસ્તા તરીકે જામનગર થી આવતા વાહનો ધ્રોલ થી પડધરી મીતાણા ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલથી નેશનલ હાઇવેના ચાર માર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડી થી મોરબી અને કચ્છ જઈ શકશે. કચ્છ તરફથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડી થી નેશનલ હાઇવેના રસ્તા પરથી આમરણ ધ્રોલ થઈને જામનગર જઈ શકશે તથા મોરબી થી મીતાણા પડધરી થઈને ધ્રોલ જામનગર જઈ શકશે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીએથી પૂર્વ મંજૂરી મેળવેલ હોય તેવા વાહનોને આ જાહેરનામાની જોગવાઈઓના અમલ માંથી મુક્તિ આપવામાં આવે છે.




Latest News