મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી : જેતપર જિલ્લા પંચાયતની વધુ એક જસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ


SHARE











મોરબી : જેતપર જિલ્લા પંચાયતની વધુ એક જસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ

 

જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરીયાના પ્રયાસોથી ૨૩ માંથી ૧૫ ગ્રામ પંચાયત સમરસ

મોરબી જિલ્લામાં આગામી ૧૯ તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે વધુમાં વધુ ગ્રામ પંચાયત સમરસ થાય એના માટે આગેવાનો મથામણ કરી છે ત્યારે સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાએ પોતાના મતક્ષેત્રમાં આવતા ૨૩ ગામોમાં જે ગામ સમરસ થશે તે ગામને પોતાની સંપતિમાંથી ગ્રામ પંચાયત દીઠ એક-એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી ત્યારે તેમના મત વિસ્તારની વધુ એક જાસમતગઢ ગ્રામ પંચાયત પણ સમરસ થઈ છે.અજયભાઇ લોરીયાની મહેનત રંગ લાવી છે અને હાલ તેમની જેતપર જીલ્લા પંચાયત બેઠકની ૨૩ માંથી ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે અને મોરબી તાલુકાની ટોટલ ૨૨ ગ્રામ પંચાયત સમરસ થઈ છે એમાં અજયભાઇ લોરીયાના પ્રયાસથી જેતપર સીટ હેઠળની સૌથી વધુ ૧૫ ગ્રામ પંચાયતો સમરસ થઈ છે.






Latest News