ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી : વાંકાનેરની આશિયાના સોસાયટીમાં પાણી ન મળતા મહીલાઓએ માટલા ફોડીને રોષ વ્યકત કર્યો


SHARE













મોરબી : વાંકાનેરની આશિયાના સોસાયટીમાં પાણી ન મળતા મહીલાઓએ માટલા ફોડીને રોષ વ્યકત કર્યો

વાંકાનેર શહેરમાં આવેલા આશિયાના સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી નગરપાલિકા દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભરશિયાળે આ સોસાયટીમાં રહેતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ પાણી શરૂ કરવામાં ન આવતાં અંતે નાછુટરે રોષે ભરાયેલા લોકો દ્વારા જીનપરા ચોકમાં માટલા ફોડીને પાણી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને જો આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા આ સોસાયટીમાં પાણી વિતરણ વ્યવસ્થા શરૂ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ મહિલાઓ સહિતના સ્થાનીકોએ ઉચ્ચારી છે.


વાંકાનેર નગરપાલિકા દ્વારા આશિયાના સોસાયટીની અંદર વર્ષોથી પાણી આપવામાં આવી રહ્યું છે અને હાલમાં આશિયાના સોસાયટીમાં રહેતા લોકો દ્વારા નગરપાલિકાના પાણી વેરા પણ ભરવામાં આવે છે  છતાં પણ આ સોસાયટીમાં રહેતા લોકોને હદની મારામારીમાં નગરપાલિકા દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી છે અને છેલ્લા લગભગ એકાદ મહિનાથી પાણી મળતું ન હોવાથી આશિયાના સોસાયટીમાં રહેતા લોકો પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને અગાઉ નગરપાલિકામાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારી દ્વારા આશિયાના સોસાયટીમાં રહેતા લોકોને પાણી મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી કરીને આ વિસ્તારના લોકોએ અગાઉ વાંકાનેરના પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી અને તેઓની એક જ માંગ છે કે વર્ષોથી નગરપાલિકા દ્વારા તેઓની પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે અને આ લોકો દ્વારા ટેક્સ ભરવામાં આવે છે અને હમણાં સુધી નગરપાલિકા તેઓને પાણી આપતી હતી તો અચાનક શા માટે થઈને આ સોસાયટીની અંદર પાણીની વિતરણ વ્યવસ્થા બંધ કરવામાં આવેલ છે..? આ સોસાયટીના લોકો દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારી અને પદાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તેમજ વાંકાનેરના પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ લોકોને નિયમિત રીતે પાણી મળે તેના માટેની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ન હતી..! જેથી કરીને રોષે ભરાયેલી મહિલાઓ સહિતના સ્થાનીક લોકો દ્વારા આજે સોસાયટીથી લઈને જીનપરા ચોક સુધી રેલી યોજવામાં આવી હતી અને ત્યારબાદ ચોકમાં માટલા ફોડીને પાણી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વધુમાં સ્થાનિક મહિલાઓ દ્વારા આગામી દિવસોમાં જો નગરપાલિકા દ્વારા પાણી વિતરણ વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને પાલિકામાં બઘડાટી બોલાવવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.






Latest News