મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા સીડીએસ બીપીન રાવતને નતમસ્તક શ્રદ્ધાંજલી


SHARE









મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા સીડીએસ બીપીન રાવતને નતમસ્તક શ્રદ્ધાંજલી

દેશના પ્રથમ સીડીએસ બીપીન રાવતનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયેલ હોય મોરબીમાં શહેર યુવા ભાજપ અને એબીવીપી દ્વારા પ્રથમ સીડીએસ બીપીન રાવત સહીતના દિવંગતોને કેન્ડલ પ્રગટાવીને નતમસ્તક શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પ્રથમ સીડીએસ બીપીન રાવત તેમના પત્ની મધુલીકા રાવત સહીત ૧૩ લોકોના મોત થયા હોય દેશભરમાં શોકનું મોજુ વ્યાપી ગયુ છે ત્યારે મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની સામે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યૂ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ શહેર યુવા ભાજપ દ્વારા તમામ દિવંગતોને કેન્ડલ પ્રગટાવીને નતમસ્તકે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.હેલીકોપ્ટર દુર્ઘટનામાં બીપીન રાવત તેમના પત્ની મધુલીકા સહીત ૧૩ લોકોના મોત નિપજયા છે માટે મોરબીમાં એબીવીપી તેમજ યુવા ભાજપની ટીમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.હતી.આ તકે મોરબી શહેર ભાજપ મંત્રી રીષીપભાઇ કૈલા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, બંને મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકાના ચેરમેન ભાવિકભાઈ જારીયા, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દેસાઇ અને હીતેષભાઇ, મોરબી શહેર યુવા મોરચાના પ્રભારી ડી.ડી જાડેજા, સહપ્રભારી તરૂણભાઈ અઘારા, રાજકોટ જિલ્લા પ્રભારી મહાવીરસિંહ જાડેજા, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય સુખદેવભાઈ દેલવાણીયા, યુવા મોરચાના ઉપપ્રમુખ અજયભાઈ ગરચર, કેયુરભાઈ પંડ્યા, રાહુલભાઈ હુંબલ, અરૂણભાઇ રામાવત, અજયભાઈ કોટક, મિતુલભાઈ ધ્રાંગા તથા મંત્રી મનીષભાઈ કુંભારવાડિયા, શક્તિસિંહ જાડેજા,સિધ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઇ ખાખરીયા, ધવલભાઈ ત્રિવેદી તથા કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી તથા ITSM ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા અને ધ્યાનેશભાઇ રાવલ સહીતનાઓએ હાજર રહી શોકાંજલિ પાઠવી હતી.






Latest News