આગામી ફેબ્રુઆરીની શરૂઆતમા ભારતભરના રાજપૂત સમાજના ૧૦૦૦ દીકરાઓ માટે ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત


SHARE



























હળવદના કવાડીયા ગામે વીજ શોક લાગતા યુવાનનું મોત

હળવદના કવાડીયા ગામની સીમ વિસ્તારમાં વાડીએ મજૂરી કામ કરતા યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદના કવાડિયા ગામના તળશીભાઈ રાઘુભાઈ સિહોરા (27)વિશાલભાઈ ભડાણીયાની વાડી ચોથા ભાગે રાખી છે જેથી તે મજૂરીકામ કરતા હતા. તેવામાં શનિવારેના સમયે તળશીભાઇ વાડીએ પાણીની મોટર ચાલુ કરવા માટે ગયા હતા ત્યારે વીજ શોક લાગતા તળશીભાઈ રાઘુભાઈ સિહોરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ગામના સરપંચ સહિત આગેવાનો તેના મૃતદેહને  હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી. ઉલેખનીય છે કે, મૃતક ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો. અને તેના પિતાનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયું હતું. અને અકસ્માતના આ બનાવમાં યુવાનનું મોત થવાથી તેના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.






Latest News