મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે પેપર મીલમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત


SHARE











મોરબીના ગાળા ગામે પેપર મીલમાં ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત

મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ પેપર મિલમાં કામ દરમ્યાન ઇલેક્ટ્રિક શોટ લાગવાથી પરપ્રાંતિય મજૂરનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના ગાળા ગામના પાટિયા નજીક આવેલી હરિકૃપા પેપરમીલમાં ગઈકાલ તા.૧૦-૧૨ ના સાંજના સાતેક વાગ્યાના અરસામાં કામ દરમિયાન રાજાભાઈ સોમલાલ યાદવ (૨૫) હાલ રહે.હરિકૃપા પેપરમીલ ગાળાના પાટીયા પાસે તા.જી.મોરબીને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નિપજતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો ત્યાંથી બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં હાલ તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

ઉંદર મારવાની દવા પી જતા પરણિતાના સારવારમાં

મોરબીના વિશીપરામાં ડોક્ટર ચૌહાણના દવાખાના પાસે રહેતા હિરલબેન વિષ્ણુભાઈ ઓગણીયા નામની ૨૪ વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર તેના ઘરે ઉંદર મારવાની દવા પી લેતાં તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.બનાવની જાણ થતાં હાલ બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી છે જેની તપાસ પીએસઆઈ પી.પી.ઝાલા ચલાવી રહ્યા છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હિરલબેનનો લગ્નગાળો પાંચ વર્ષનો છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાની લજાઇ ચોકડી નજીક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા અરવિંદ ચમનભાઈ વાંજા નામના ૩૫ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના વિરપર ગામના રહેવાસી ગંગાબેન ખીમજીભાઈ જીલરીયા નામના ૫૨ વર્ષીય આધેડ મહિલા ગામ નજીક બાઇકમાંથી પડી જતા તેઓને અહીંની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

 






Latest News