ટંકારામાં હોમગાર્ડ જવાનો દ્વારા ૬ ડિસેમ્બરે હોમગાર્ડ ડેની ઉજવણી
મોરબીવાસીઓની સલામતી માટે ટર્કીથી આવેલ વ્યક્તિ કરાયા હોમ કોરેન્ટાઈન
SHARE
મોરબીવાસીઓની સલામતી માટે ટર્કીથી આવેલ વ્યક્તિ કરાયા હોમ કોરેન્ટાઈન
દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનનો ભય છવાયેલો છે તે દરમ્યાન ઓમીક્રોનનો જયાં વધુ પગપેસારો છે તેવા વધુ કેશ ધરાવતા દેશોમાંથી મુસાફરોનું આવાગમન જોખમી બની રહ્યુ છે તે માટે સરકારની ગાઇડલાઇન મુજબ હાઇરીસ્ક ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો ઉપર વોચ રાખીને સૌની સલામતી ખાતર આવા મુસાફરોને આઇડન્ટીફાઇ કરીને હોમ કોરેન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.તાજેતરમાં હાઇરીસ્કી એવા ટર્કીથી મોરબી આવેલ મુસાફરને હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ છે.
કોરોના મહામારી સામે ઝઝુમીને દેશવાસીઓ તેમજ ભારત સરકાર હજુ પરવી ન હતી ત્યાં જ દુનીયાના અન્ય દેશોમાં કોરોનાના નવા વેરીયન્ટ એવા ઓમીક્રોન વેરીએન્ટે માથુ ઉંચકતા ભારત સહીત વિશ્વના તમામ દેશો પુન: એકશન મોડમાં આવી ગયા છે. ભારત-ગુજરાતમાં પણ નવા વેરીએન્ટના કેસો નોંધી રહ્યા છે માટે સલામતીના ભાગરૂપે આગમચેતી દાખવીને મોરબીનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. તાજેતરમાં ટર્કીથી મોરબી આવેલ નાગરિકને હાલ હોમ કોરોનટાઈન કરાયા છે તેવી વિભાગમાંથી માહીતી સાંપડી રહી છે.
વધુમાં મોરબી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહીતી પ્રમાણે ટર્કીથી એક નાગરિક મોરબી આવેલ હોય અને ટર્કી દેશ હાઈરિસ્કી દેશોની યાદીમાં સામેલ હોવાથી હાલ મોરબી આવેલ મુસાફરને હોમ કોરોનટાઈન કરવામાં આવેલ છે અને સરકારના નિયમ અનુસાર છ દિવસ બાદ રીપોર્ટ કરવામાં આવશે.જોકે હાલ મોરબી જીલ્લો કોરોના મુક્ત છે અને એકપણ એક્ટીવ કેસ નથી.