માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ મોરબીમાં ટાઉનહોલના રીનોવેશન કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા કોંગ્રેસ પ્રમુખની માંગ મોરબી પ્રેસ મીડિયા એસો. દ્વારા પત્રકારને કામ કરતાં અટકાવનાર સામે કાર્યવાહી કરવાની માંગ ટંકારાના મિતાણા ગામે આવેલ તાલુકા શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્લાસ્ટિક રિસાયકલ વર્કશોપ યોજાયો મોરબીમાં 10 કરોડના ખર્ચે બનનાર અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનું ભૂમિપૂજન કરાયું મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસદો-ધારાસભ્યોની હાજરીમાં 16.66 કરોડના 184 વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું મોટીબરાર ગામે આવેલ મોડલ સ્કૂલ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીમાં સ્વ.કમુબેન મકવાણાની 36મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્વારા સાહિત્યકાર સાથે ગોઠડીનો કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી જિલ્લા સાહિત્ય સભા દ્વારા સાહિત્યકાર સાથે ગોઠડીનો કાર્યક્રમ યોજાયો

મોરબીના રવાપર રોડ પર આવેલા સ્વરાંગન સ્ટુડિયોમાં મોરબી જિલ્લા સાહિત્ય સભા આયોજિત 'સાહિત્યકાર સાથે ગોઠડી'નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખ્યાતનામ ગુજરાતી બાળસાહિત્યકાર યશવંત મહેતા (યશદાદા), સાહિત્યિક ગોઠડીમાં બાળરોગ નિષ્ણાત અને પ્રતિષ્ઠિત લેખક ડૉ.સતીશ પટેલ, સ્વરાંગન સ્ટુડિયોના કલાપ્રેમી હંસરાજભાઈ ગામી, કવિ અને લેખક ડૉ. ભાવેશભાઈ જેતપરિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે યશદાદાનું પુસ્તક દ્વારા સન્માન  સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામી દ્વારા કરવામાં આવ્યું હતું. અને યશવંત મહેતાનો પરિચય શૈલેષ કાલરિયા દ્વારા આપવામાં આવ્યો હતો. યશવંત મહેતા દ્વારા નવચેતન સામયિક, માતૃભાષા અભિયાન, બાલઆનંદ સામયિક, શારદાસભા, શનિસભા વિષયે વાત કરી સાહિત્યિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . મણે  એક નવી સર્જેલી પ્રયોગશીલ રચના કૃષ્ણગીતનું પઠન કર્યું હતું. અને ગોઠડીના બીજા ચરણમાં ડૉ.ભાવેશભાઈ જેતપરિયા, જનાર્દન દવે 'અઘોરી', વિશાલ પારેખ, નિશિત સોની, આંબાલાલ કુંડારિયા, પ્રકાશ કુબાવત, જીવતીબેન પીપલિયા, સંજય બાપોદરિયા 'સંગી', શૈલેષ કાલરિયા 'દોસ્ત' વગેરે સર્જકોએ પોતાની સ્વરચિત કૃતિનું પઠન કરી સાહિત્યરસિકજનોને રસ તરબોળ કર્યા હતા.

સ્વરાંગન સ્ટુડિયોના હંસરાજભાઈ ગામીએ સંગીત અને સાહિત્ય પ્રત્યેનો પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. અને ડૉ.સતીશ પટેલે પોતાના વિચારો રજૂ કરતાં કહ્યું હતું કે, 'મોરબીમાં લક્ષ્મીજીની કૃપા છે, હવે સરસ્વતીજીની કૃપા વરસી રહી છે એ આનંદની વાત છે. વિવિધ સાહિત્ય સર્જન થતું આવે છે. તેમાં શ્રેષ્ઠતા આવે તે માટે પ્રયત્નો જરૂરી છે. અને ગોઠડીમાં ત્રીસેક સર્જક અને ભાવક ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજેશ પરમાર, રાકેશ રાઠોડ, વૈદ્ય કે.જે. ઝાલા, ભરત રાજકોટિયા, ડેનિશ કાનાબાર, મનિષ યાજ્ઞિક, રમેશ કાલરિયા, વિશાલ ગામી, હિરેન સાણજા, મનિષા પટેલ, અલ્પા કાલરિયાએ નોંધપાત્ર હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન શૈલેષ ઝાલરિયા અને વ્યવસ્થા રાજેશ મોકાસણાએ કરી હતી.




Latest News