હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ


SHARE







મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ

મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી ગરબી મંડળનું છેલ્લા ૨૪ વર્ષોથી આયોજન કરવામાં આવે છે અને મોરબીના વાઘપરા શેરી નં.૧૪ માં આવેલ શ્રી ગાયત્રી પ્રેરણા મંદિરના પ્રાંગણમાં આ ગરબી યોજાઇ છે જેમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ નું ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં જયારે અર્વાચીન રાસની ભરમાર છે અને પાર્ટી પ્લોટનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળે પોતાના પ્રાચીન રાસ-ગરબાની આગવી પરંપરા જાળવી રાખી છે. અહિં બાળાઓ દ્વારા દર વર્ષે અવનવા રાસ રજુ કરવામાં આવે છે. જેમાં રાધા-કૃષ્ણનો રાસ, દિવડા રાસ, તલવાર રાસ, હેલ્લારો રાસ વગેરે જેવા અનેક રાસ ગરબી મંડળની બાળાઓ રજૂ કરે છે. આ વર્ષે પણ આ તમામ પ્રકારના રાસ ઉપરાંત બીજા નવા રાસ બાળાઓ દ્વારા લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ગરબીમાં બાળાઓ પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી અને છેલ્લા નોરતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ તરફથી અને અન્ય દાતાઓ તરફથી બાળાઓને લ્હાણી આપવામાં આવે છે. અને અહી જે બાળાઓ રાસ રજૂ કરે છે તે રાસ ગરબાની તૈયારી દર્શનાબેન જોષી તથા રાધિકાબેન પંડપા દ્વારા કરાવવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ જગદીશભાઈ ઓઝા અને અન્ય ટ્રસ્ટી અંબરીશભાઈ જોષી તથા મહિધરભાઈ દવે છેલ્લા ઘણાં સમયથી જહેમત લઈ રહયા છે.






Latest News