મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ


SHARE











મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ગરબીમાં અવનવા રાસ રજૂ કરતી બાળાઓ

મોરબીમાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી ગરબી મંડળનું છેલ્લા ૨૪ વર્ષોથી આયોજન કરવામાં આવે છે અને મોરબીના વાઘપરા શેરી નં.૧૪ માં આવેલ શ્રી ગાયત્રી પ્રેરણા મંદિરના પ્રાંગણમાં આ ગરબી યોજાઇ છે જેમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ રજૂ કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ-૨૦૨૫ નું ગરબી મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં જયારે અર્વાચીન રાસની ભરમાર છે અને પાર્ટી પ્લોટનું પ્રભુત્વ વધી રહ્યું છે ત્યારે આ ગરબી મંડળે પોતાના પ્રાચીન રાસ-ગરબાની આગવી પરંપરા જાળવી રાખી છે. અહિં બાળાઓ દ્વારા દર વર્ષે અવનવા રાસ રજુ કરવામાં આવે છે. જેમાં રાધા-કૃષ્ણનો રાસ, દિવડા રાસ, તલવાર રાસ, હેલ્લારો રાસ વગેરે જેવા અનેક રાસ ગરબી મંડળની બાળાઓ રજૂ કરે છે. આ વર્ષે પણ આ તમામ પ્રકારના રાસ ઉપરાંત બીજા નવા રાસ બાળાઓ દ્વારા લોકોની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જે જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ ગરબીમાં બાળાઓ પાસેથી કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી અને છેલ્લા નોરતે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ તરફથી અને અન્ય દાતાઓ તરફથી બાળાઓને લ્હાણી આપવામાં આવે છે. અને અહી જે બાળાઓ રાસ રજૂ કરે છે તે રાસ ગરબાની તૈયારી દર્શનાબેન જોષી તથા રાધિકાબેન પંડપા દ્વારા કરાવવામાં આવે છે. આ નવરાત્રી મહોત્સવ માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ જગદીશભાઈ ઓઝા અને અન્ય ટ્રસ્ટી અંબરીશભાઈ જોષી તથા મહિધરભાઈ દવે છેલ્લા ઘણાં સમયથી જહેમત લઈ રહયા છે.






Latest News