ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં છૂટાછેડા બાદ સમાધાન કરવાની ના પડતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો


SHARE













મોરબીમાં છૂટાછેડા બાદ સમાધાન કરવાની ના પડતી મહિલા ઉપર તેના પૂર્વ પતિએ કર્યો છરી વડે હુમલો

મોરબીમાં રહેતી મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેના પતિ દ્વારા અવારનવાર ચારિત્ર પર શંકા કરીને ઝઘડો કરવામાં આવતો હતો જેથી તે મહિલાના છૂટાછેડા થઈ ગયા હતા જોકે, તે મહિલાના પતિએ સમાધાન કરવા માટે કહ્યું હતું અને મહિલાએ સમાધાનની ના પડી હતી જેથી ઝઘડો થયો હતો અને ત્યારે મહિલાના પૂર્વ પતિએ તેના ઉપર છરી વડે હુમલો કરીને આંગળી, ગાલ, મોઢા, નાક, આંખ અને ડાબા પડખામાં ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કુલીનગર વિસ્તારમાં રહેતા આમેનાબેન કાસમભાઈ બલોચ (26)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ નીતિનભાઈ સોલંકી રહે. તિલકધામ સોસાયટી કુબેરના નાલા પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી રવિભાઈ સોલંકી સાથે તેઓએ અગાઉ પ્રેમલગ્ન કરેલ હતા અને બાદમાં અવારનવાર ફરિયાદીના ચારિત્ર ઉપર શંકા કરીને તેની સાથે તેનો પતિ ઝઘડો કરતો હતો જેથી કરીને તેઓના છૂટાછેડા થયેલ હતા અને આરોપીએ ફરિયાદીને સમાધાન કરવા માટે કહ્યું હતું ત્યારે ફરિયાદીએ સમાધાન કરવાની ના પડી હતી જેથી મોરબીના શંકર આશ્રમના ગેટ પાસે રાણીબાગની જાળી નજીક ઝઘડો થયો હતો ત્યાં આરોપીએ છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને ફરિયાદી મહિલાને ડાબા હાથની આંગળી, ગળાની ડાબી બાજુ, મોઢા ઉપર, ડાબી આંખ પાસે અને ડાબા પડખાના ભાગે ઇજાઓ કરી હતી અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ ત્યાંથી તે નાસી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે તેના પૂર્વ પતિ સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News