ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને આઈ 20 કાર આપવાનું કરીને કાર-24 ના નામે 4.35 લાખની છેતરપિંડી


SHARE













મોરબીના યુવાનને આઈ 20 કાર આપવાનું કરીને કાર-24 ના નામે 4.35 લાખની છેતરપિંડી

મોરબીમાં રહેતા યુવાનને કાર 24 કંપનીનું નામ આપીને આઈ 20 કાર આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ આંગડિયા પેઢી મારફતે 4,35,000 મેળવી લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ યુવાનને કાર આપવામાં આવી ન હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના વાઘપરા શેરી નં-6 માં રહેતા અને મજૂરી કામ કરતા ખોડીદાસભાઈ રમેશભાઈ પરમાર (32) નામના યુવાને અર્પિતકુમાર પટેલ નામના શખ્સની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપીએ કાર 24 કંપનીનું નામ આપીને આઈ 20 કાર આપવાનું કહ્યું હતું અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ બિલ્વા કોમ્પ્લેક્સમાં વી પટેલ આંગડિયા પેઢી મારફતે 4,35,000 મેળવી લીધા હતા અને ત્યારબાદ યુવાનને કાર આપવામાં આવી ન હતી જેથી યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયેલ હોય તેને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરની અમરનાથ સોસાયટીમાંથી બાઈકની ચોરી

વાંકાનેરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા મનસુખભાઈ ગોરધનભાઈ જોળીયા (32)હાલમાં અજાણ્યા શખ્સની સામે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓએ પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે 4 સીએસ 2469 પાર્ક કરીને મૂક્યું હતું જે 25,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News