ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ-આહીર સેના દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન: ઉમિયા આશ્રમે ધૂન-ભજન યોજાશે


SHARE













મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ-આહીર સેના દ્વારા શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન: ઉમિયા આશ્રમે ધૂન-ભજન યોજાશે

મોરબીમાં શરદ પૂર્ણિમા નિમિતે જુદાજુદા સ્થળે જ્ઞાતિ સમાજ દ્વારા રાસોત્સવના આયોજન કરવામાં આવેલ છે જેમાં મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ અને આહીર સેના દ્રારા શરદોત્સવ શરદ પૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન કરાયું છે જયારે મોરબીમાં આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌ શાળા ખાતે શરદ પૂર્ણિમાં નિમિતે ધુન-ભજન-કિર્તન અને મહાપ્રસાદનું આયોજન કર્યું છે

મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. અને આગામી તા 6 ના રોજ શરદોત્સવ રાતે 9:00 કલાકે કેશવ પાર્ટી પ્લોટ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે અને આ કાર્યક્રમમાં મોરબી સમસ્ત બ્રહ્મ પરિવારો તેમજ જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ બાળાઓ સાથે ઉપસ્થિત રહી શરદપૂર્ણિમાના આ પાવન પર્વને રાસોત્સવમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ યુવા ગૃપ પ્રમુખ ઉદયભાઈ જોષી, મહામંત્રી વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ તેમજ વિજયભાઈ રાવલ સહિત સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

આહીર સેના દ્રારા શરદોત્સવ
રાજાધિરાજ દ્વારકાધીશના પ્રમુખ સ્થાને તથા આહીર સમાજની લાગણી અને માંગણીને ધ્યાને લઈ તા.7 ને મંગળવારે શરદપુનમના દિવસે બહુચર પાર્ટી પ્લોટ, નવલખી રોડ, મોરબી ખાતે રાસોત્સવનું આયોજન કરાયું છે. અને આહીર સમાજનાં આંગણે, આસ્થાની અભિવ્યક્તિના અણમોલ અવસરે આવવા માટે સમાજના તમામ લોકોને આયોજકો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે આહીર સેનાનો મો. 9979172143 અથવા 9624448311 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

મોરબી ઉમિયા આશ્રમ
મોરબીમાં શનાળા રોડે આવેલ શ્રી ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌ શાળા દ્રારા શરદ પૂર્ણિમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તા 6 ના રોજ સાંજે 4 કલાકેથી ધુન-ભજન-કિર્તનનું આયોજન કર્યું છે અને ત્યાર બાદ મહાપ્રસાદ સાંજે 7 વાગ્યે રાખવામા આવેલ છે જેથી તેનો લાભ લેવા માટે વ્યવસ્થાપક દેવેન્દ્રસિંહ સજુભા જાડેજા અને મહંત નિરંજનદાસજી મહારાજે આમંત્રણ આપ્યું છે.






Latest News