મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 16 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા
SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 16 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા
કચ્છ બાજુથી બોલેરો પીકપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક ભેંસના પાડાઓને ભરીને જામનગર તરફ કતલખાને લઈ જવાના છે તેવી હકીકત મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેના આધારે પીપળીયા ચાર રસ્તા પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ બોલેરો ગાડીને રોકીને ચેક કરતા તેમાંથી કતલખાને લઈ જવાતા 16 પાડા મળી આવતા તેને બચાવીને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેરના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, હિન્દુ વાહિની શહેરના પ્રમુખ ચેતનભાઇ પાટડીયા તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના ગૌરક્ષા મોરબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે કચ્છ બાજુથી બોલેરો ગાડી આવી રહી હતી અને જામનગર તરફ કતલખાને પાડાને લઈને જઇ રહી હતી ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 6296 ને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર ભેંસના 16 પાડાને જામનગર તરફ કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને તેને મોરબી પાંજરાપોળ ખાતે મુકવામાં આવે છે જ્યારે વાહન લઈને જઈ રહેલા શખ્સને વાહન સાથે મોરબી તાલુકા પોલીસને હવાલે કરવામાં આવતા પોલીસે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
