મોરબીમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં પકડાયેલ આરોપીના 18મી સુધીના રિમાન્ડ મંજૂર મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી
Breaking news
Morbi Today

મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ


SHARE













મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ

મોરબીની ધર્મપ્રેમી જનતા અને ઉદ્યોગકારોના સહકારથી આજે મોરબી પાંજરાપોળનો વિકાસ થયો છે અને ગુજરાતની નંબર વન પાંજરાપોળ મોરબીની છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવામાં કાલે ગૌ દર્શન, જલ દર્શન, વન દર્શન અને સત્સંગ હોલનું ઓપનિંગ રાખવામા આવ્યું છે

મોરબી પાંજરાપોળ દ્વારા લિલાપર, રફાળેશ્વર અને મકનસર ખાતે કુલ મળીને 6200 જેટલા ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને મકનસર ખાતે આધુનિક સત્સંગ હોલનું ઓપનિંગ કાલે તા 6/10 ના રોજ બપોરે ૩ થી ૬ કલાકે રાખ્યું છે તેની સાથે સત્સંગ સભા પણ રાખવામા આવેલ છે. જેમાં મોરબીના તમામ ધૂન મંડળને આમંત્રિત કરવામાં આવેલ છે. તે ઉપરાંત ગૌસેવાના કામમાં સહયોગ આપતા ઉદ્યોગકારો સહિતના તમામ લોકો અને મોરબીના લોકોને પાંજરાપોળ ખાતે કાર્યક્રમમાં આવવા માટે ટ્રસ્ટી મંડળ ડો.નીતિનભાઈ આર. મહેતા(પ્રમુખ), વેલજીભાઈ ખોડાભાઈ પટેલ (ઉપપ્રમુખ),ભુપતભાઈ ચંદુલાલ દોશી (મંત્રી), કરશનભાઈ કાનજીભાઈ હોથી (પ્રાગજીભાઈ હોથી) (સહમંત્રી) તેમજ ટ્રસ્ટી પ્રવીણભાઈ ઓ. ભલોડિયા, કાંતીભાઈ અમૃતીયા (ધારાસભ્ય), વસરામભાઈ વાલજીભાઈ દેત્રોજા, હિતેશભાઈ કે.ભાવસાર, જયેશભાઈ શાહ, દેવજીભાઈ પટેલ અને નારાણભાઇ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.




Latest News