મોરબી : માળીયા (મીં)ના હરીપર પાસે વાહન અકસ્માત: યુવાન રાજકોટ ખસેડાયો હળવદના નવા ઇસનપુર ગામે કૃષિ મહોત્સવના સ્ટેજ ઉપર બેઠક વ્યવસ્થાને લઈને ભાજપના ધારાસભ્યની હાજરીમાં કોંગ્રેસે કરી બઘડાટી મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા !
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી


SHARE













મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી

મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલ લગભગ 115 જેટલા વાડી વિસ્તારની અંદર રહેતા લોકોને વીજ કનેક્શન લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શન આપવા માટે થઈને ડોક્યુમેન્ટ એકત્રિત કરવા અને અરજીઓ સ્વીકારવા માટે બે દિવસનો સ્પેશિયલ કેમ્પ રાખવામા આવેલ હતો જેમાં જુદી જુદી વાડી વિસ્તારમાં રહેતા કુલ મળીને 313 લોકોવીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સવારા નવગામ જ્ઞાતિની વાડી ખાતે વાડી વિસ્તારમાં રહેતા લોકોને છેલ્લા ઘણા વર્ષોથી જે વીજ કનેક્શન મેળવવા માટે થઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેમાંથી રાહત મળે તેના માટે થઈને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ તેમજ પીજીવીસીએલના એમડી કેતન જોશીના હુકમથી મોરબીમાં બે દિવસના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાડી વિસ્તારની અંદર રહેણાંક બનાવીને રહેતા લોકોને વીજ કનેક્શનની જરૂરિયાત હોય તો તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને બે દિવસના કેમ્પ દરમિયાન મોરબીના જુદા જુદા વાડી વિસ્તારમાંથી કુલ મળીને 313 જેટલા લોકો દ્વારા વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરવામાં આવી છે અને તેમાં જો અલગ અલગ ડિવિઝનની વાત કરીએ તો શનાળા ડિવિઝનમાં 191, નાની વાવડી ડિવિઝનમાં 57 અને મોરબી સીટી ડિવિઝનમાં 65 આમ કુલ મળીને 313 લોકો દ્વારા પીજીવીસીએલમાંથી રહેણાંક માટેનું વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરવામાં આવેલ છે અને તેના આધારે હવે આગામી સમયમાં આ લોકોને વીજ કનેક્શન મળે તેના માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે. અને આ કેમ્પને સફળ બનાવવા માટે તેમજ વધુમાં વધુ લોકોને કેમ્પનો લાભ મળે તેના માટે ભાવેશભાઈ કંઝારીયા, રોહિતભાઈ કંઝારીયા, માવજીભાઇ કંઝારીયા સહિતના સતવારા સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.




Latest News