મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી


SHARE





મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી

મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલ લગભગ 115 જેટલા વાડી વિસ્તારની અંદર રહેતા લોકોને વીજ કનેક્શન લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શન આપવા માટે થઈને ડોક્યુમેન્ટ એકત્રિત કરવા અને અરજીઓ સ્વીકારવા માટે બે દિવસનો સ્પેશિયલ કેમ્પ રાખવામા આવેલ હતો જેમાં જુદી જુદી વાડી વિસ્તારમાં રહેતા કુલ મળીને 313 લોકોવીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સવારા નવગામ જ્ઞાતિની વાડી ખાતે વાડી વિસ્તારમાં રહેતા લોકોને છેલ્લા ઘણા વર્ષોથી જે વીજ કનેક્શન મેળવવા માટે થઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેમાંથી રાહત મળે તેના માટે થઈને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ તેમજ પીજીવીસીએલના એમડી કેતન જોશીના હુકમથી મોરબીમાં બે દિવસના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાડી વિસ્તારની અંદર રહેણાંક બનાવીને રહેતા લોકોને વીજ કનેક્શનની જરૂરિયાત હોય તો તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને બે દિવસના કેમ્પ દરમિયાન મોરબીના જુદા જુદા વાડી વિસ્તારમાંથી કુલ મળીને 313 જેટલા લોકો દ્વારા વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરવામાં આવી છે અને તેમાં જો અલગ અલગ ડિવિઝનની વાત કરીએ તો શનાળા ડિવિઝનમાં 191, નાની વાવડી ડિવિઝનમાં 57 અને મોરબી સીટી ડિવિઝનમાં 65 આમ કુલ મળીને 313 લોકો દ્વારા પીજીવીસીએલમાંથી રહેણાંક માટેનું વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરવામાં આવેલ છે અને તેના આધારે હવે આગામી સમયમાં આ લોકોને વીજ કનેક્શન મળે તેના માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે. અને આ કેમ્પને સફળ બનાવવા માટે તેમજ વધુમાં વધુ લોકોને કેમ્પનો લાભ મળે તેના માટે ભાવેશભાઈ કંઝારીયા, રોહિતભાઈ કંઝારીયા, માવજીભાઇ કંઝારીયા સહિતના સતવારા સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.




Latest News