મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી


SHARE











મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી

મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલ લગભગ 115 જેટલા વાડી વિસ્તારની અંદર રહેતા લોકોને વીજ કનેક્શન લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શન આપવા માટે થઈને ડોક્યુમેન્ટ એકત્રિત કરવા અને અરજીઓ સ્વીકારવા માટે બે દિવસનો સ્પેશિયલ કેમ્પ રાખવામા આવેલ હતો જેમાં જુદી જુદી વાડી વિસ્તારમાં રહેતા કુલ મળીને 313 લોકોવીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સવારા નવગામ જ્ઞાતિની વાડી ખાતે વાડી વિસ્તારમાં રહેતા લોકોને છેલ્લા ઘણા વર્ષોથી જે વીજ કનેક્શન મેળવવા માટે થઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેમાંથી રાહત મળે તેના માટે થઈને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ તેમજ પીજીવીસીએલના એમડી કેતન જોશીના હુકમથી મોરબીમાં બે દિવસના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાડી વિસ્તારની અંદર રહેણાંક બનાવીને રહેતા લોકોને વીજ કનેક્શનની જરૂરિયાત હોય તો તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને બે દિવસના કેમ્પ દરમિયાન મોરબીના જુદા જુદા વાડી વિસ્તારમાંથી કુલ મળીને 313 જેટલા લોકો દ્વારા વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરવામાં આવી છે અને તેમાં જો અલગ અલગ ડિવિઝનની વાત કરીએ તો શનાળા ડિવિઝનમાં 191, નાની વાવડી ડિવિઝનમાં 57 અને મોરબી સીટી ડિવિઝનમાં 65 આમ કુલ મળીને 313 લોકો દ્વારા પીજીવીસીએલમાંથી રહેણાંક માટેનું વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરવામાં આવેલ છે અને તેના આધારે હવે આગામી સમયમાં આ લોકોને વીજ કનેક્શન મળે તેના માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે. અને આ કેમ્પને સફળ બનાવવા માટે તેમજ વધુમાં વધુ લોકોને કેમ્પનો લાભ મળે તેના માટે ભાવેશભાઈ કંઝારીયા, રોહિતભાઈ કંઝારીયા, માવજીભાઇ કંઝારીયા સહિતના સતવારા સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.






Latest News