ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી! હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો


SHARE









મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા પરિવારના સહયોગથી યોજાયેલ  વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૪૯ કેમ્પમાં કુલ ૧૩૮૯૭ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં કેમ્પ યોજાયો હતો જેનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૩ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા હતા. આ કેમ્પ તરશીભાઈ  હરખજીભાઈ દેત્રોજા પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે મોતીબેન હરખજીભાઈ દેત્રોજા, તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા, મંજુલાબેન તરશીભાઈ દેત્રોજા, જયેશભાઈ તરશીભાઈ દેત્રોજા, અસ્મીતાબેન જયેશભાઈ દેત્રોજા, હીરેનભાઈ તરશીભાઈ દેત્રોજા, ભૂમિકાબેન હીરેનભાઈ દેત્રોજા સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. 






Latest News