મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો


SHARE













મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ ધામ ખાતે તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા પરિવારના સહયોગથી યોજાયેલ  વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૪૯ કેમ્પમાં કુલ ૧૩૮૯૭ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.

મોરબીના જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે તાજેતરમાં કેમ્પ યોજાયો હતો જેનો ૨૦૨ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૮૩ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા હતા. આ કેમ્પ તરશીભાઈ  હરખજીભાઈ દેત્રોજા પરિવારના સહયોગથી યોજાયો હતો. આ તકે મોતીબેન હરખજીભાઈ દેત્રોજા, તરશીભાઈ હરખજીભાઈ દેત્રોજા, મંજુલાબેન તરશીભાઈ દેત્રોજા, જયેશભાઈ તરશીભાઈ દેત્રોજા, અસ્મીતાબેન જયેશભાઈ દેત્રોજા, હીરેનભાઈ તરશીભાઈ દેત્રોજા, ભૂમિકાબેન હીરેનભાઈ દેત્રોજા સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. 




Latest News