ઋષિ ભૂમિ ટંકારાના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે
SHARE







ઋષિ ભૂમિ ટંકારાના આંગણે ભવ્ય નિ:શુલ્ક યોગોત્સવ ઉજવાશે
બદલાતી જતી અતિઆધુનિક લાઈફ-સ્ટાઈલ અને બગડતું જતું ખાન-પાન યુવાવસ્થામાં જ આળસ, સુસ્તી, તણાવ અને અનિંદ્રા થકી શરીર અનેક રોગોનું ઘર બનેલ છે. પરંતુ આપણા ઋષિ મુનીઓ થકી આપણને વારસામા મળેલ અમુલ્ય ભેટ એટલે યોગ. જેના દ્વારા આજના આ ઝડપી યુગમાં પણ દરેક વ્યક્તિ પોતાનું શારિરીક, માનસિક અને આધ્યાત્મિક બળ વધારીને સુખ-શાંતીને પામી શકે છે. જે હેતુસર ઋષિ ભૂમિ ટંકારાના આંગણે તા 13,14 અને 15 ઓક્ટોબરના રોજ સવારે 6 થી 6 સુધી ખજુરા રિસોર્ટ, રાજકોટ મોરબી હાઇવે, ટંકારા ખાતે યોગોત્સવ રાખવામાં આવેલ છે. આ યોગોત્સવ પ્રસંગે ખાસ દેવભૂમિ હરિદ્વારથી ઋષિભૂમિ ટંકારાના આંગણે પધારશે પૂજ્યા સાધ્વી દેવાદિતીજી. તેમજ મોરબી જિલ્લા અને ટંકારાના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ યોગોત્સવ સંપૂર્ણપણે નિ:શુલ્ક રહેશે. જેથી મોરબી જિલ્લાની તમામ લોકોને તેનો લાભ લેવા યોગ ટીમ ટંકારા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે અને નામ નોંધણી 9558926180 અને 9687442735 ઉપર કરાવી શકાશે.
