મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની માહિતી ખોટી-તથ્યવિહિન: સિરામિક એસો.


SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની માહિતી ખોટી-તથ્યવિહિન: સિરામિક એસો.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવાની ઘટના આજ દિવસ સુધી બની નથી. અને સિરામિક પરિવાર હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યુ છે. ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી. ત્યારે તાજેતરમાં જે સોશ્યલ મીડિયા મારફતે માહિતી સામે આવી હતી તે તદન ખોટી અને તથ્યવિહિન હોવાનું મોરબી સીરામીક મેન્યુ .એસો. પ્રમુખે પત્રકારોને જણાવ્યુ છે.

હાલમાં મોરબી સીરામીક મેન્યુ. એસો.ના પ્રમુખે જણાવ્યુ છે કે, તાજેતરમાં સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતિય શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી હતી તે ફરિયાદ તદ્દન ખોટી અને તથ્યવિહિન હોવાનું સામે આવ્યું છે. અને કોન્ટ્રાક્ટર હાજર ન હોવાથી પરપ્રાંતિય શ્રમિકોને એક માસનો પગાર ચૂકવવામાં વિલંબ થયો છે તેવું સામે આવ્યું હતું. આજની તારીખે વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય શ્રમિકો મોરબીનાં સિરામિક કારખાનામાં રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે છે. જો કે, અમુક તત્વો દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને મોરબી સિરામિક એસો. સખત શબ્દોમાં વખોડી કાઢે છે.






Latest News