મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયે મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
મોરબીના સિરામિક ઉદ્યોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની માહિતી ખોટી-તથ્યવિહિન: સિરામિક એસો.
SHARE







મોરબીના સિરામિક ઉદ્યોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની માહિતી ખોટી-તથ્યવિહિન: સિરામિક એસો.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવાની ઘટના આજ દિવસ સુધી બની નથી. અને સિરામિક પરિવાર હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યુ છે. આ ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી. ત્યારે તાજેતરમાં જે સોશ્યલ મીડિયા મારફતે માહિતી સામે આવી હતી તે તદન ખોટી અને તથ્યવિહિન હોવાનું મોરબી સીરામીક મેન્યુ .એસો. પ્રમુખે પત્રકારોને જણાવ્યુ છે.
હાલમાં મોરબી સીરામીક મેન્યુ. એસો.ના પ્રમુખે જણાવ્યુ છે કે, તાજેતરમાં સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતિય શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી હતી તે ફરિયાદ તદ્દન ખોટી અને તથ્યવિહિન હોવાનું સામે આવ્યું છે. અને કોન્ટ્રાક્ટર હાજર ન હોવાથી પરપ્રાંતિય શ્રમિકોને એક માસનો પગાર ચૂકવવામાં વિલંબ થયો છે તેવું સામે આવ્યું હતું. આજની તારીખે વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય શ્રમિકો મોરબીનાં સિરામિક કારખાનામાં રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે છે. જો કે, અમુક તત્વો દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને મોરબી સિરામિક એસો. સખત શબ્દોમાં વખોડી કાઢે છે.
