મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી


SHARE







મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી

મોરબી જિલ્લાના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જુદાજુદા તાલુકાની સરકારી કચેરીઓની મુલાકાત લેવામાં આવી રહી છે તેવામાં વાંકાનેર અને હળવદ તાલુકામાં આવેલ વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર રહેલા અરજદારોની સાથે સીધો સંવાદ કર્યો હતો

સરકરી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ વધુ ઝડપી, પારદર્શી અને અસરકારક બને તેવા ઉદ્દેશ સાથે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. અને કલેક્ટરે વાંકાનેર મામલતદાર અને પ્રાંત કચેરીની તપાસ હાથ ધરીને અરજદારોની વિવિધ શાખાઓની અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત વાંકાનેર નગરપાલિકા ખાતે વેરા વસૂલાત અને જન્મ-મરણ નોંધણી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ DILR કચેરી ખાતે સિટી સર્વે નોંધ અને વિવિધ ફ્લેગશિપ યોજનાઓની પ્રગતિ ચકાસી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન ગ્રામીણ વિસ્તારના પાત્ર લાભાર્થીઓને રહેણાંક પ્લોટ-મકાન સહાય મળે તથા ગામતળ, સ્મશાન અને કબરસ્તાન જેવી જમીન માંગણીઓના પ્રશ્નો સત્વરે ઉકેલાય તે અર્થે સઘન કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ સ્પષ્ટ તાકીદ કરી હતી.

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા હળવદ ખાતે વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લઈ સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને કલેક્ટરે હળવદ પોલીસ સ્ટેશનની તપાસણી કરી રજિસ્ટરો, વિવિધ શાખાઓ અને પરિસરનું નિરીક્ષણ કરી નાગરિકોને સમયસર તથા સંવેદનશીલ પોલીસ સેવાઓ મળે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ તેમણે સબ રજિસ્ટ્રાર કચેરી તેમજ મામલતદાર કચેરી સ્થિત જનસેવા કેન્દ્ર અને ઈ-ધરા કેન્દ્રની સમીક્ષા કરી કામગીરીનો તાગ મેળવ્યો હતો. આ મુલાકાત દરમિયાન કલેક્ટરે સ્થળ પર ઉપસ્થિત અરજદારો સાથે સીધો સંવાદ સાધીને કચેરીઓ દ્વારા મળતી સેવાઓ અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.






Latest News