વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત
SHARE
વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત
વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામ પાસે ખાણમાં પાણી ભરેલું હતું ત્યાં યુવાનની લાશ પડી હતી જેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટેની પોલીસે તપાસ હાથ ધરી હતી જ્યારે મોરબીના જીવાપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા હતો જે બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ ખાણમાં ભરેલા પાણીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીમાંથી યુવાનના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ મૃતકની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ કરી હતી દરમિયાન મૃતક યુવાન સુરેશકુમાર રાજારામ ગૌતમ (40) રહે હાલ મકતાનપર મૂળ રહે ઉત્તર પ્રદેશ વાળો હોવાનું સામે આવ્યું હતું જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના જીવાપર ગામની સીમમાં આવેલ લોરીસન સીરામીક કારખાના ની લેબર કોલોનીના ક્વાર્ટર માં રહેતા માયાબેન કૃણાલભાઈ (35) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની જતીનભાઈ વાલજીભાઈ (27) રહે ખાખરેચી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી