મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે વિધાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજ ખાતે વિધાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર યોજાયો

મોરબીની પી.જી. પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈના નેતૃત્વમાં આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે હર હમેશ અગ્રણી રહેવાની સાથે સાથે અભ્યાસ સિવાયની વિધાર્થી ઘડતરલક્ષી પ્રવૃતિના આયોજન થકી વિધાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તેઓના જીવન અને કારકિર્દીને એક નવી દિશા મળે તેવા ઉમદા હેતુસર જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી-મોરબી, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ-મોરબી ના સયુંકત ઉપક્રમે મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અતિથી તરીકે જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ દિનેશ વિડજા, સેક્રેટરી પીયુષ સાણજા, ખજાનચી કમલેશ પનારા તેમજ લાયન્સ કલબના વરિષ્ઠ સભ્ય કે.પી.ભાગીયા, સજનપર પ્રા.શાળાના આચાર્ય અલ્પેશ પુજારા ઉપસ્થિત રહ્યા હતા.તેમજ મુખ્ય વક્તા તરીકે વક્તા પ્રતિકભાઈ કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા.યોગ્ય અને સમયસર લીધેલ નિર્ણયો, દ્રઢ સંકલ્પશક્તિ અને માનસિક સ્થિરતા દ્વારા કઈ રીતે સફળ કારકિર્દીનું નિર્માણ કરી શકાય, કારકિર્દી ઘડતરમાં મુંજવતા વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કઈ રીતે કરી શકાય વગેરે જેવા વિધાર્થી જીવનને સ્પર્શતા મુદાઓ વિષે રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી. અંતમાં વિધાર્થીઓના વિવિધ પ્રશ્નોના નિરાકરણ પણ આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન પ્રો.મનહર શુદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારા દ્વારા સમાપન વિધિ કરવામાં આવી હતી.સેમિનારમાં કોલેજના વિવિધ ફેકલ્ટીના વિધાર્થીઓ ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રાધ્યાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News