મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે


SHARE









માળિયા (મી) તાલુકાનું વિભાજન રોકવા માટે માળિયા (મી) તાલુકા હિત રક્ષક સમિતિ મેદાનમાં: કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને આવેદનપત્ર આપશે

માળિયા મિયાણા તાલુકાના વિભાજન માટેની ગતિવિધિ ચાલી છે તેને રોકાવા માટે માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા રજૂઆતો કરવામાં આવેલ છે. અને કાલે ૪૬ ગામના લોકોને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.

માળિયા મિયાણા તાલુકા હિત રક્ષક સમિતિના આમીન ભટ્ટી અને ઈકબાલભાઈએ જણાવ્યુ હતું કે, માળિયા મિયાણા તાલુકાને વિભાજિત કરી તેના 46 ગામોમાંથી આશરે 28 ગામોને જેતપર અને 18 ગામોને પીપળીયા ચાર રસ્તા ખાતે નવા તાલુકાઓમાં સામેલ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. જો આવું કરવામાં આવે તો માળિયા (મિયાણા) તાલુકાનું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. ઉલેખનીય છે કે, માળિયા (મિયાણા) બ્રિટિશ રાજ સમયનું રજવાડું હતું અને સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે વિસરાઈ જશે અને માળીયાના વિભાજનથી બે તાલુકા બનાવવામાં આવે તો માળીયાના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં તાલુકા કક્ષાની કચેરીઓ સરકારે માળીયામાં બનાવેલ છે. તે અંદાજે ૩.૨૨ કરોડના ખર્ચે બનેલ મિલકતો નકામી થઇ જશે. આટલું જ નહીં કજરડા, હરીપર, ખીરઈ, ચીખલી, નવાગામ, રસંગપર વગેરે ગામોએ ગ્રામ સભામાં કોઈ ઠરાવ પસાર કર્યો નથી, છતાં તેમને આ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા છે ! જેથી કરીને આ નિર્ણયના વિરોધમાં તા 13 ના રોજ સવારે 11 વાગ્યે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ કાર્યક્રમમાં માળિયા (મિયાણા) ના 46 ગામોના લોકો હાજર રહેશે. અને જે આવેદન પત્ર આપવામાં આવશે તેની મુખ્ય માંગણી માળિયા (મિયાણા) તાલુકાને વિભાજિત કરવાનો પ્રસ્તાવ તાત્કાલિક રદ કરો, માળિયા (મી.) ને મૂળ તાલુકા મુખ્ય મથક તરીકે જાળવો, 3.22 કરોડના જાહેર રોકાણનું રક્ષણ કરો, ગ્રામ સભાઓ સાથે પારદર્શી ચર્ચા કરો વિગેરે માંગ કરવામાં આવશે.






Latest News