મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી :  માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં મોત


SHARE











મોરબી :  માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં મોત

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામના પાટિયા પાસે આગલા દિવસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પગપાળા રસ્તો ઓળંગી રહેલા એમપીના આદીવાસી મજુર યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

બનાવની માળીયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખીરઇ ગામના પાટિયા પાસે તા.૧૨-૧૨ ના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગી રહેલા નાહરીયાભાઈ મેસુભાઈ સિંગાળા (ઉમર ૪૦) રહે.હાલ નાગડાવાસ ગામના પાટિયા પાસે મૂળ રહે. માતાસુલા મત્સુલા ગામ તાલુકો રાનપુર મધ્યપ્રદેશ વાળાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ગંભીર ઇજાઓ થવાથી નાહપીયાભાઈ સિંગાલાનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે મૃતકના સાળા અર્જુનભાઈ લાભુભાઈ ગણાવા ભીલ (૧૯) ધંધો મજૂરી હાલ રહે.નાગડાવાસના પાટીયા પાસે માળીયા મીંયાણા મૂળ સીમાખેડી ગણાવા ફળીયુ રાનપુર જાંબુવા એમપી વાળાએ માળીયા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાવતાં પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ફરિયાદ નોંધીને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા સીસીટીવી ફુટેજ મેળવવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

વાહન અકસ્માત

હળવદના ટીકર ગામે રહેતા હંસાબેન શંકરભાઈ હડીયલ નામની ૨૪ વર્ષીય મહિલા ઘનશ્યામપુર રોડ ઉપરથી જતી હતી ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News