ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં વધુ એક હત્યા, પોલીસની લેશમાત્ર ધાક નહીં..?!


SHARE













મોરબીના વાંકાનેરમાં વધુ એક હત્યા, પોલીસની લેશમાત્ર ધાક નહીં..?!
 
મોરબી જીલ્લાના વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે કોઈ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જેમા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવતા યુવાનનું મોત નિપજ્યું છે.જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને પૂએમ માટે વાંકાનેરની સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને હત્યાના બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
મોરબીના વાંકાનેરમાં મોડી સાંજે ગાયત્રી મંદિર પાસે કોઈ બાબતે ડખ્ખો થયો હતો જેમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની નિર્મમ હત્યા કરી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાભરમાં અનેક મર્ડર થયા છે જેમાં કોંગ્રેસ આગેવાન મોટલાણી પિતા-પુત્રના મર્ડર, મમુદાઢી ડબલ મર્ડર સહિત છેલ્લા સમયગાળામાં અનેક મર્ડર થયા હોય જિલ્લાભરમાં પોલીસનો ગુનેગારોને લેશમાત્ર ભય ન હોય તેવા માહોલનું સર્જન થયું છે.
 
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે આજે તા.૧૩-૧૨ ના મોડી સાંજના સમયે વાંકાનેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે કોઈ કારણોસર યુવાનને તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હાલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી હતી ત્યારે પ્રાથમિક વિગત એવી સામે આવી છેકે મૃતક યુવાનનું નામ કેશાભાઈ જીવાભાઈ ધંધુકિયા (ઉ.વ ૩૬) છે જોકે કયા કારણોસર તીક્ષ્ણ હથીયારોના ઘા મારીને કેશાભાઇની નિર્મમ હત્યા કરવામાં આવી છે..? અને કોણે બનાવને અંજામ આપેલ છે તે દિશામાં હાલમાં વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને મૃતક યુવાનના પરિવારજનમાંથી ફરિયાદ લેવા માટેની પણ કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે.





Latest News