મોરબીના પ્રાંત અધિકારી તરીકે પ્રવીણસિંહ ડી. જૈતાવત મુકાયા: સુશીલકુમારની જુનાગઢ બદલી મોરબીના ખેડૂત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી લીંબુની સફળ ખેતી: ૧ લાખથી વધુની આવક મેળવી મોરબીમાં બેંકમાં દાવા વિનાના નાણાં લોકોને પરત કરવા બાબતે માર્ગદર્શન આપવા કેમ્પ યોજાશે મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે યુવાને જીવન ટૂંકાવ્યું: વાંકાનેરના લક્ષ્મીપરામાં ઘર કંકાસથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE



























મોરબીના આંદરણા ગામે યુવાને જીવન ટૂંકાવ્યું: વાંકાનેરના લક્ષ્મીપરામાં ઘર કંકાસથી કંટાળીને યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબીના આદરણા ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જ્યારે વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા યુવાને તેના પત્ની સાથે ઘર કંકાશ રહેતો હોય કંટાળી જઈને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આ બંને બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામે રહેતા અજયભાઈ રવજીભાઈ ચાવડા (29) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનને તાત્કાલિક હળવદના ચરડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને ક્યાં કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ગરીયા ચલાવી રહ્યા છે

વાંકાનેરના લક્ષ્મીપરામાં રહેતા હનીફભાઈ ગનીભાઈ ચૌહાણ (37)ને તેના પત્ની સાથે ઘર કંકાસ રહેતો હોય હાનિભાઈએ કંટાળી જઈને પોતે પોતાની જાતે ઘરમાં પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News