મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે
SHARE
મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન યોજાશે
મોરબીમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું સ્નેહમિલન યોજાનાર છે. અને મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી(ભોજનશાળા) વાંકાનેર દરવાજા ખાતે આ સ્નેહમિલન યોજાવાનું છે.
મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળમાં નક્કી કરવામાં આવ્યું છે કે, મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં નોંધાયેલા જ્ઞાતિ સભ્યોનું સ્નેહમિલન જ્ઞાતિની ભોજન શાળા ખાતે રાખવામાં આવશે. અને આગામી તા 9/11 ને રવિવારના રોજ સાંજે 05:30 કલાકે આ સ્તેંહમિલન યોજનાર છે જેમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ છે. અને વ્યવસ્થાના ભાગ સ્વરૂપે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી (ભોજનશાળા), વાંકાનેર દરવાજા પાસે સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યોએ તા / 1થી 8 સુધીમાં ભોજન-પાસ મેળવી લેવા ટ્રસ્ટી મંડળે તેઓની યાદીમાં જણાવ્યુ છે.