ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ખેતી પાકના નુકશાન માટે સર્વે નહીં સીધી સહાય આપો: તાલુકા સરપંચ એસો.ની માંગ


SHARE







મોરબી તાલુકામાં ખેતી પાકના નુકશાન માટે સર્વે નહીં સીધી સહાય આપો: તાલુકા સરપંચ એસો.ની માંગ

મોરબી તાલુકામાં છેલ્લા છ દિવસમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવીને સહાય આપવાની વાતો કરવામાં આવી છે પરંતુ મોરબી સરપંચ એસોસિયેશન દ્વારા આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીને સર્વે નહીં પરંતુ તાત્કાલિક પાક નુકસાની માટે પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવામાં આવી તથા તેઓના લોન અને ધિરાણ પણ માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદ થયો છે જેથી ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓની અંદર સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવવા માટે થઈને જાહેરાત કરવામાં આવી છે તેવા સમયે મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ જીતુભાઈ થોરીયા દ્વારા આજે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી તાલુકામાં ગત તા. 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીમાં કુલ મળીને 80 એમએમ એટલે કે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે તથા ગામડાઓમાં ખેતરે જવાના ગાડા માર્ગ પણ કાદવ ખીચડથી ભરેલા છે અને ખેતરોમાં પણ કેટલીક જગ્યાએ પાણી હોવાના કારણે સર્વે કરવાની પ્રક્રિયા કરવાના બદલે સરકાર દ્વારા સર્વે વિના તાત્કાલિક પાક નુકસાનીનું પેકેજ જાહેર કરીને તમામ ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે તથા ખેડૂતોના લોન અને ધિરાણ પણ માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.






Latest News