મોરબી ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ કર્યાની કરાઇ ફરિયાદ મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ હર્દય બંધ પડી ગયેલા દર્દીને નવજીવન આપ્યુ હળવદના સુસવાવ ગામ પાસે મરવા માટે સગા દીકરાને ત્યજી દેનારા નિર્દય બાપની સામે ગુનો નોંધાયો હળવદ નજીક જીવલેણ અકસ્માત સર્જનાર અર્ટિકા કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો ધડાકો વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં હળવદના ડુંગરપુર ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ખેતી પાકના નુકશાન માટે સર્વે નહીં સીધી સહાય આપો: તાલુકા સરપંચ એસો.ની માંગ


SHARE













મોરબી તાલુકામાં ખેતી પાકના નુકશાન માટે સર્વે નહીં સીધી સહાય આપો: તાલુકા સરપંચ એસો.ની માંગ

મોરબી તાલુકામાં છેલ્લા છ દિવસમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવીને સહાય આપવાની વાતો કરવામાં આવી છે પરંતુ મોરબી સરપંચ એસોસિયેશન દ્વારા આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપીને સર્વે નહીં પરંતુ તાત્કાલિક પાક નુકસાની માટે પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવામાં આવી તથા તેઓના લોન અને ધિરાણ પણ માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા દિવસોમાં કમોસમી વરસાદ થયો છે જેથી ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે સરકાર દ્વારા જુદા જુદા જિલ્લાઓની અંદર સર્વે કરાવીને ખેડૂતોને સહાય ચૂકવવા માટે થઈને જાહેરાત કરવામાં આવી છે તેવા સમયે મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ રવિરાજસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ જીતુભાઈ થોરીયા દ્વારા આજે મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને તેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી તાલુકામાં ગત તા. 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીમાં કુલ મળીને 80 એમએમ એટલે કે સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો હાલમાં મુશ્કેલીમાં મુકાયા છે તથા ગામડાઓમાં ખેતરે જવાના ગાડા માર્ગ પણ કાદવ ખીચડથી ભરેલા છે અને ખેતરોમાં પણ કેટલીક જગ્યાએ પાણી હોવાના કારણે સર્વે કરવાની પ્રક્રિયા કરવાના બદલે સરકાર દ્વારા સર્વે વિના તાત્કાલિક પાક નુકસાનીનું પેકેજ જાહેર કરીને તમામ ખેડૂતોને સહાય જાહેર કરવામાં આવે તથા ખેડૂતોના લોન અને ધિરાણ પણ માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.






Latest News