મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

વાંકાનેરથી દર્શન કરવા જતા પરિવારને નડ્યો અકસ્માત, મહિલાનું મોત: પિતા-પુત્રને નજીવી ઇજા


SHARE







મોરબી વાંકાનેર હાઈવે ઉપર લાલપર નજીક આજે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં બે ડમ્પર વચ્ચે કાર આવી જતા કારનો ભુક્કો બોલી ગયો હતો. આ બનાવમાં એક મહિલાને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવાામાં આવી હતી જે મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ છે અને વાંકાનેરનો રાવલ પરિવાર દર્શન કરવા જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બનતા દંપતિ ખંડિત થયુ છે. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરમાં આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ભાવિનભાઈ ઉર્વીશભાઈ રાવલ (35) તેમના પત્ની ધારાબેન ભાવિનભાઈ રાવલ (35) અને તેનો દીકરો નીલ ભાવિનભાઈ રાવલ (6) વાંકાનેરથી દર્શન કરવા માટે થઈને મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન લાલપર ગામ પાસે ભાવિનભાઇની કાર નંબર જીજે 36 એસી 9493 લાલપર ગામ નજીક આવેલ ગોલ્ડ સિરામિકની સામેથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત થયો હતો. જે બનાવમાં કાર બે ડમ્પર વચ્ચે આવી ગઈ હતી જેથી કરીને કારનો ભુક્કો બોલી ગયો હતો અને કારમાં બેઠેલ ત્રણ વ્યક્તિ પૈકી મહિલાને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત થયેલ કારને ક્રેનની મદદથી રોડ સાઈડમાં કરીને રોડ ઉપર ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગત પ્રમાણે અકસ્માતના આ બનાવમાં ઈજા પામેલ ધારાબેન ભાવિનભાઈ રાવલનું સારવાર દરમિયાન મોત નિપજયુ છે જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ કરવામાં આવી છે.






Latest News