મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી નોટરી એસોસીએશને સરકારના ત્રણ વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી જાહેર કરવાના બીલનો ઉગ્ર વિરોધ કર્યો


SHARE













મોરબી નોટરી એસોસીએશને સરકારના ત્રણ વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી જાહેર કરવાના બીલનો ઉગ્ર વિરોધ કર્યો

તાજેતરમાં ભારત સરકાર દ્રારા સુચીત નોટરી એમેન્ડમેન્ટ બીલ-૨૦૨૧ ના અનુસંધાને તે બીલનો વિરોધ નોંધાવવા માટે મોરબી નોટરી એસોસીએશન દ્રારા નોટરીઓના અભીપ્રાયો સુચનો મંગાવવામા આવેલ તેમજ આ સુચીત એમેન્ડમેન્ટ બીલના વિરોધમા મોરબી જીલ્લાના નોટરીઓમા ઘેરા પ્રત્યાઘાતો પડેલા હોય તે બીલનો સખત વિરોધ નોંધાવવા માટે મોરબી જીલ્લાના નોટરીઓ દ્રારા મોરબી નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ અને આ અંગે ઉચ્ચસ્તરીય લડત આપવાનુ પણ આયોજન ક૨વામા આવેલ છે.આ તકે મોરબી નોટરી એસોસીએશનના પ્રમુખ ભાવેશ ડી.ફુલતરીયા, ઉપપ્રમુખ એલ.પી.ચાવડા અને કે.ડી.મુછડીયા તેમજ સેક્રેટરી આર.જી.ભાગીયા તેમજ મોરબી બાર એસોસીએશનના પ્રમુખ દિલીપભાઇ અગેચાણીયા નોટરી બી.કે.ભટ્ટ, નોટરી અશોકભાઈ સરડવા સહિતના નોટરીઓ હાજર રહ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ તાજેતરમાં સરકાર દ્વારા જે નોટરીઓના સંદર્ભમાં જે નવું બીલ લાવવામાં આવી રહ્યુ છે તે અંતર્ગત જે કોઇ વ્યક્તિને નોટરી તરીકે ડિગ્રી ઇસ્યુ કરવામાં આવે તેને પાંચ વર્ષની મર્યાદા માટે ઇસ્યુ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તે નોટરીને માત્ર બે વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી તરીકે જાહેર કરાશે તેનો નવા બીલમાં ઉલ્લેખ હોય તે વાતને લઇને વિરોધ નોંધાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. એટલે કે લોકોને ૧૫ વર્ષથી જુના અને અનુભવી નોટરીઓનો લાભ મળશે નહીં તેમજ જે કોઈ વ્યક્તિ નોટરી તરીકે કાર્યરત છે અને જો તે નોટરીના કામની સાથે જો વકીલાત ન કરતા હોય અને તેમનો નોટરી સમય પુરો થાય ત્યારે તેમને વકીલાત શરૂ કરવામી થાય તો તેને લઇને આર્થિક પ્રશ્નો પણ ઊભા થાય તેવા પ્રકારના આ સરકારી બિલમાં સુધારા હોવાના કારણે હાલમાં નોટરીઓ દ્વારા સરકારના નવા આવી રહેલા નોટરી કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.






Latest News