મોરબી : વાંકાનેર સીટી વિસ્તારમાં રહેતો યુવાન કોરોનાગ્રસ્ત, સારવારમાં
મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર સાતમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
SHARE









મોરબી જિલ્લાની આઈટીઆઈમાં ખાલી રહેતી બેઠકો પર સાતમા તબક્કાની પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
મોરબી જીલ્લાની સરકારી આઈટીઆઈમાં મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા, તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના એન.સી.વી.ટી, જી.સી.સી.ટી પેટર્નના કોર્ષ-વ્યવસાયોમાં પ્રવેસશત્ર ઓગસ્ટ-૨૧ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે જેમાં પ્રવેશ મેળવવા માટે સાતમા રાઉન્ડ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે. ઓનલાઇન ભરેલા ફોર્મ આઈટીઆઈ ખાતે રજીસ્ટર કરવાની છેલ્લી તા.૩૧-૧૨ છે.
પ્રવેશવાંચ્છું ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબ સાઈટ પરથી અથવા ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે રૂ.૨૦ ભરીને ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ કાઢી તેમાં લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે લાવવાની રહેશે.આઈટીઆઈમાં પ્રવેશ માટે તા.૩૧-૧૨ સુધી સવારે ૧૦ થી સાંજે ૫ કલાક સુધી પ્રવેશ કાર્યવાહી તથા માર્ગદર્શન મળશે. તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૬૦૧૧૦૦૬૩૮ અથવા ૯૭૧૨૧૫૭૪૧૭ ઉપર સંપર્ક કરવો.ઉમેદવારે ધો.૮ થી ૧૦ ની માર્કશીટ, પ્રયત્નનો દાખલો, શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર, જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય), આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, બેંક પાસબૂક પેલા પાનાની ઝેરોક્ષ, આવકનો દાખલો, બી.પી.એલ (જો લાગુ પડતું હોય) જરૂરી પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા મોરબીની યાદીમાં જણાવ્યું છે.
