મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવાગામ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ટંકારાના જીવાપર ગામે પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત


SHARE













માળીયા (મી)ના નવાગામ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ટંકારાના જીવાપર ગામે પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

માળીયા (મી)ના નવાગામની સીમમાં આવેલ કુવામાં કોઈ કારણોસર યુવાન પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી)ના કોળીવાસમાં રહેતા ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા (40) નામનો યુવાન કોઈ કારણોસર માળીયા મિયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કુવામાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતુ અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે માળિયામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં ભાણજીભાઈ બારૈયાની વાડીના કુવામાં પડી જવાથી જયદીપભાઇ મહેશભાઈ ભાભોર (12) નામના સગીરનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતા મહેશભાઈ ભાભોર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક બાળક બનાવના દિવસે બપોરે 11:00 વાગ્યાના અરસામાં રમતા રમતા વાડીના કૂવાના કાંઠે ચડીને ત્યાં આવેલ વાડીની ઓરડી ઉપર ચડવા જતો હતો ત્યારે અકસ્માતે ઓરડીની પારાપેટની ઈંટ નીકળી જતા તે પાણી ભરેલા કૂવામાં પડ્યો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News