હળવદના સુસવાવ ગામ પાસેથી ખેડૂતોની 12 ઇલેક્ટ્રીક મોટરની ચોરીના ગુનામાં 6 શખ્સોની ધરપકડ: 4.90 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી જિલ્લા કક્ષા બાળ નાટ્ય-બાળ નૃત્ય નાટિકા, બાળ પ્રતિભાશોધ સ્પર્ધાઓ યોજાશે, ઈચ્છુકોએ ૩૦ નવેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે વાંકાનેરના મહિકામાં રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ ઝેર પીધું : એકનું મોત મોરબીમાં રવિવારે 'ધમાલ ગલી' શેરી રમતોત્સવ યોજાશે મોરબી શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન વાંકાનેરની વરડુસર પ્રાથમિક શાળાની કૃતી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમક્રમે મોરબી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે યુનિવર્સીટીની પરીક્ષાઓ કઈ રીતે આપવી તે અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો રક્તદાન મહાદાન: મોરબી હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નવાગામ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ટંકારાના જીવાપર ગામે પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત


SHARE





















માળીયા (મી)ના નવાગામ પાસે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત: ટંકારાના જીવાપર ગામે પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

માળીયા (મી)ના નવાગામની સીમમાં આવેલ કુવામાં કોઈ કારણોસર યુવાન પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી)ના કોળીવાસમાં રહેતા ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા (40) નામનો યુવાન કોઈ કારણોસર માળીયા મિયાણા તાલુકાના નવાગામની સીમમાં આવેલ કુવામાં પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતુ અને ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે માળિયામાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

પારાપેટની ઈંટ નીકળી જતા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

ટંકારા તાલુકાના જીવાપર ગામની સીમમાં ભાણજીભાઈ બારૈયાની વાડીના કુવામાં પડી જવાથી જયદીપભાઇ મહેશભાઈ ભાભોર (12) નામના સગીરનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતા મહેશભાઈ ભાભોર દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક બાળક બનાવના દિવસે બપોરે 11:00 વાગ્યાના અરસામાં રમતા રમતા વાડીના કૂવાના કાંઠે ચડીને ત્યાં આવેલ વાડીની ઓરડી ઉપર ચડવા જતો હતો ત્યારે અકસ્માતે ઓરડીની પારાપેટની ઈંટ નીકળી જતા તે પાણી ભરેલા કૂવામાં પડ્યો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકનું મોત નીપજયું હતું જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.










Latest News