મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદમાં વ્યાજખોરોના ત્રાસ તથા લોનની ઉઘરાણીથી કંટાળીને યુવા કારખાનેદારે કર્યો આપઘાત


SHARE







ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ઘણી વખત વ્યાજખોરોના ત્રાસના કારણે અઘટિત બનાવો બનતા હોય છે તેવો જ બનાવ આજે મોરબી જિલ્લાના હળવદ શહેરની અંદર રહેતા કારખાનેદાર સાથે બનેલ છે જેમા વ્યાજખોરોના ત્રાસના કારણે તથા બેંકમાંથી લીધેલ લોનની ઉઘરાણીથી કંટાળીને યુવાને પોતે પોતાના કારખાને સવારે ગાડી લઈને ગયા બાદ ત્યાં પોતાની ગાડીમાં બેઠા બેઠા ઝેરી દવા પીને ગાડીની અંદર જ આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તે મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઇટ નોટ મળી આવી છે જે પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

હળવદ શહેરમાં સરા રોડ ઉપર રહેતા કારખાનેદાર નવનીતભાઈ રૂગનાથભાઈ આદ્રોજા (44) નામનો યુવાન રાબેતા મુજબ આજે સવારે માળિયા હળવદ હાઇવે રોડ ઉપર કેદારીયા ગામ પાસે આવેલ તેની અનાજ સાફ કરવાના કારખાને યુવાન ગયો હતો ત્યાં જઈને પોતાની જ ક્રેટા ગાડી ની અંદર બેઠા બેઠા ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ ત્યારબાદ આ બનાવની મૃતક કારખાનેદારના ભાગીદારને જાણ થતા તેણે 112 માં આ બનાવની જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેને હળવદ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને આ સુસાઇડ નોટની અંદર મૃતક યુવાને વ્યાજખોરોનો ત્રાસ હોવાનો તેમજ બેંકમાંથી તેણે લીધેલી લોનના હપ્તા ન કરી શકતા બેંકની લોનની ઉઘરાણીનો ત્રાસ હતો તેવો ઉલ્લેખ કર્યો હાવોનું ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે મૃતક નવનીતભાઈની સુસાઇડ નોટને કબ્જે કરીને સ્થાનિક પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News