મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !


SHARE







મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !

મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં લાખો રૂપિયાના ખર્ચે મહિલા શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, જાળવણી અને સંચાલનના અભાવે તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેથી સામાજિક કાર્યકરોએ મહિલાઓને પડતી હાલાકી દૂર કરવા માટે વહેલી તકે શૌચાલય બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ અને મેરુભાઈએ મુખ્યમંત્રી સુદ્ધિ રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવા માટે ગાંધીનગરથી આદેશ આવ્યો પછી મોરબી નગરપાલિકાને મહિલા શૌચાલય બનાવેલ હતું જો કે, બે લાખના ખર્ચે બનેલ મહિલા શૌચાલય આજદિન સુધી વ્યવસ્થિત રીતે કયારે પણ ચાલ્યું નથી તો પણ જવાબદાર અધિકારી દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી. અને આ મહિલા શૌચાલય આજની તારીખે બંધ પડ્યું છે. ત્યારે મહિલા શૌચાલય બનાવવાનું હતું ત્યારે ગાંધીનગર સુદ્ધિ રજૂઆત કરી હતી તેવી જ રીતે હવે તેને ચાલુ કરવા માટે પણ શું ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડશે તેવો સવાલ સામાજિક કાર્યકરોએ કરેલ છે.






Latest News