મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !


SHARE











મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !

મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં લાખો રૂપિયાના ખર્ચે મહિલા શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, જાળવણી અને સંચાલનના અભાવે તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેથી સામાજિક કાર્યકરોએ મહિલાઓને પડતી હાલાકી દૂર કરવા માટે વહેલી તકે શૌચાલય બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ અને મેરુભાઈએ મુખ્યમંત્રી સુદ્ધિ રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવા માટે ગાંધીનગરથી આદેશ આવ્યો પછી મોરબી નગરપાલિકાને મહિલા શૌચાલય બનાવેલ હતું જો કે, બે લાખના ખર્ચે બનેલ મહિલા શૌચાલય આજદિન સુધી વ્યવસ્થિત રીતે કયારે પણ ચાલ્યું નથી તો પણ જવાબદાર અધિકારી દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી. અને આ મહિલા શૌચાલય આજની તારીખે બંધ પડ્યું છે. ત્યારે મહિલા શૌચાલય બનાવવાનું હતું ત્યારે ગાંધીનગર સુદ્ધિ રજૂઆત કરી હતી તેવી જ રીતે હવે તેને ચાલુ કરવા માટે પણ શું ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડશે તેવો સવાલ સામાજિક કાર્યકરોએ કરેલ છે.






Latest News