મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત


SHARE











મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવતી સાથે લીવ ઇનમાં રહેતા યુવાને યુવતીને માર માર્યો હતો જેથી યુવતીનું મોત નીપજયું હતું જેથી યુવતીની સાથે રહેતા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જો કે, યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લઈને આવ્યા હતા ત્યારે યુવાને યુવતીની હત્યા કરી હોવાનું કબૂલાત આપેલ હતી અને ત્યાર બાદ યુવાનની તબિયત બગડી હતી જેથી તેને 108 મારફતે મોરબી સિવિલે લઈ ગયા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બાનવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવાની સાથે તેના કવાર્ટરમાં લીવ ઇનમાં રહેતી પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (20) નામની મહિલાને લાકડી અને પટ્ટા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાન રૂમની બહાર જતો રહ્યો હતો અને તે રૂમમાં પાછો આવ્યો ત્યારે પુષ્પાદેવી મૃત હાલતમાં પડી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક યુવતીની સાથે રહેતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવા (25) નામના યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા અને ત્યાં તેણે પુષ્પાદેવીની હત્યા કરી હોવાની પોલીસને કબૂલાત આપેલ છે. દરમ્યાન કોઈ કારણોસર નરેન્દ્રસિંહ ધુરવાની તબિયત બગડી હતી જેથી 108 મારફતે તેણે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલેખનીય છેકે, મૃતક યુવતી અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંનેના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈએ ફરિયાઈ બનીને મૃતક યુવાન સામે તેની સાથે રહેતી યુવતીની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે. જયારે યુવાનના મોત સંદર્ભે મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશન ખાતે અમોત દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News