મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાવિ પત્ની સાથે મનમેળ ન હોય યુવાને અણધાર્યું પગલું ભર્યું: ટંકારાના જીવાપર પાસે કૂવામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મળી


SHARE













મોરબીમાં ભાવિ પત્ની સાથે મનમેળ ન હોય યુવાને અણધાર્યું પગલું ભર્યું: ટંકારાના જીવાપર પાસે કૂવામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મળી

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ઝૂંપડામાં રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ભાણવડના રહેવાસી અને હાલમાં મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ સામે ઝૂંપડામાં રહેતા વિજયભાઈ ભીમાભાઇ ચૌહાણ (19) કોઈપણ કારણોસર ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈ મેરૂભાઈ ભીમાભાઇ ચૌહાણ (30) રહે. હાલ લીલાપર ચોકડી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એમ.પી.ઝાલા ચલાવી રહ્યા હોય તેની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનનું સગાઈ થઈ ગયેલ હતી જો કે, તેની ભાવિ પત્ની સાથે કોઈ કારણોસર મનમેળ ન હોવાથી લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું છે.

મૃતક યુવાનની ઓળખ મળી

ટંકારાના જીવાપર અમરાપર ગામની સીમમાં કિશોરભાઈ હળવદિયાની વાડીમાં આવેલ કુવામાં પડી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેની ઓળખ મેળવવા માટે તેને તજવી ચાલી રહી હતી અને મૃતક વ્યક્તિનું નામ પ્રવીણભાઈ ગોવિંદભાઈ દેલવાડીયા (50) રહે. હજામચોરો તાલુકો ધ્રોલ વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News