મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબી નજીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતી પરણીતાએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોવાથી તેને કયા કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જેતપર ઉપર આવેલ બેલા ગામ નજીક ખોખરા હનુમાન રોડ ઉપર ગેમ્સજોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અંદર રહેતા બબલુભાઈ માનસિંગભાઈ વસુનીયાના પત્ની કર્માબેન વસુનીયા (20)એ લેબર કવાર્ટરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે પરણીતાનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના બનાવની મૃતક મહિલાના પતિએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો બે વર્ષનો હોય મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે






Latest News