કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન હળવદના જૂના અમરાપર ગામે કલેક્ટરની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઈ માળિયા (મી)ના ખાખરેચી ગામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત


SHARE







મોરબીને લાંબા અંતરની ટ્રેન ફાળવવા માટે વધુ એક વખત રજૂઆત

મોરબી ઉદ્યોગનગરી છે અને અહી બાહરના રાજ્યમાંથી ઘણા વેપારીઓ સહિતના લોકો આવે છે તો પણ અહીથી લાંબા અંતરની એકપણ ટ્રેન નથી માટે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે તો પણ ટ્રેન ફાળવવામાં આવેલ નથી જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકર દ્વારા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરીને લાંબા અંતરોની પેસેન્જર ટ્રેનો ફાળવવા માટેની અને નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની માંગ કરેલ છે.

મોરબીમાં રહેતા જયેશભાઈ મકવાણાપશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરી  છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી રેલવે સ્ટેશનને 25 વર્ષમાં માત્ર ડેમું ટ્રેન એક જ પેસેન્જર ટ્રેન તરીકે મળેલ છે. અને તે પણ અવાર નવાર ખરાબ થઈ જાય છે જેથી મુસાફરોને ઘણી હેરાનગતિનો સામનો કરવો પડે છે. માટે વહેલી તકે મોરબીથી વાંકાનેર ઈલેક્ટ્રીક ડેમુ ટ્રેન શરૂ કરવામાં આવે, ગાંમધીધામ કામખીયા વાયા મોરબી આ પેસેન્જર ટ્રેન અઠવાડિયામાં બે દિવસ ચાલે છે, ગાંધીધામ બાંદ્રા વાયા મોરબી પેસેન્જર ટ્રેનનો સમય 5-6 કલાક વહેલી કરી ડ્રેઈલી ટ્રેન ચલાવવામાં આવે તો લોકોની સુવિધામાં વધારો થાય તેમ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી ટ્રેનો વાયા મોરબી થઈને ચલાવવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છના મુસાફરોને ફાયદો થાય તેમ છે અને  ઓખા રાજકોટ પેસેન્જર ટ્રેનને મોરબી સુધી લંબાવવામાં આવે તેવી માંગ કરેલ છે. આ ઉપરાંત મોરબી નજરબાગ રેલવે સ્ટેશનનો વિકાસ કરવા માટેની પણ રજૂઆત કરી હતી.






Latest News