રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું


SHARE







રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

મોરબી જિલ્લા બાર એસોસિએશનના વકીલો આજે કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહ્યા હતા અને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી પ્રબળ માગણી સાથે જિલ્લા કલેક્ટર કચેરીમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો હાઇકોર્ટની બેન્ચ રાજકોટ ખાતે આપવામાં આવે તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના પક્ષકારો, વકીલો સહિતના તમામ લોકોને મોટી રાહત મળી શકે તેમ છે જેથી કરીને રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં મોરબી જિલ્લામાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

સમગ્ર સૌરાષ્ટ્રમાં જિલ્લા અને તાલુકા લેવલે આજે વકીલો દ્વારા રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની આગેવાની હેઠળ મોરબી બાર એસો. સાથે જોડાયેલા વકીલો કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહ્યા હતા અને મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાએ જણાવ્યું હતું કે અગાઉ રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ હતી પરંતુ તે બંધ થયા બાદ તેને શરૂ કરવામાં આવી ન હતી જો કે, રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ શરૂ કરવામાં આવે તો પક્ષકારો, વકીલો સહિતનાઓને હાલમાં ન્યાય મેળવવા માટે જે 300 કિલો મીટર સુધી આવું જવું પડતું હોય છે તેમાંથી રાહત મળે તેમ છે તેની સાથો સાથ સસ્તો અને સરળ ન્યાય આપવા માટેનો જે હેતુ છે તે હાલમાં સર થતો નથી જેથી રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તો લોકોને સસ્તો અને સરળ ન્યાય મળી શકે તેમ છે માટે રાજકોટ ખાતે વહેલામાં વહેલી તકે હાઇકોર્ટની બેન્ચ આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે






Latest News