ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી
SHARE
ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી
મોરબીના ખોખરા હનુમાન હરિહર કામ ખાતે ગુરુપૂર્ણિમા ઉજવાઈ, રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકો એ ગુરુ પૂજન, દર્શન અને સેવાનો લાભ લીધો
મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે આજે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કંકેશ્વરી માતાજીની હાજરીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય સહિતના અનેક અનુયાયો ત્યાં આવ્યા હતા અને ગુરુપૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો.
મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે દર વર્ષે પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજય વર્ગીય સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ગુરુ ભક્તો ત્યાં આવ્યા હતા અને ગુરુ પૂજન, ગુરુ સેવા અને ગુરુ દર્શનનો લાભ લીધો હતો આ તકે કનકેશ્વરી માતાજીએ જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાનો દિવસ એ ગુરુ ભક્તો માટે એક દિવાળી નહીં પરંતુ એક હજાર દિવાળી જેવો હોય છે અને દિવાળી આવે કે સૂર્યોદય થાય ત્યારે માત્ર બહાર અજવાળા થાય છે પરંતુ વ્યક્તિની ભીતરના અજવાળા ગુરુ કૃપા કરે છે પછી જ થઈ અને ગુરુ વગર ભગવાન પણ પોતાને ભગવાન સાર્થક કરી શકતા નથી ત્યારે ગુરુપૂર્ણિમાના દિવસનું અનેક ગણું મહત્વ છે અને આ દિવસે ગુરુની વિશેષ કૃપા થતી હોય છે.
તો એમપીના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજય વર્ગીય જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 30 થી 35 વર્ષથી અહીંયા ગુરુપૂર્ણિમાએ દર્શન કરવા આવે છે અને વર્ષો પહેલાં તેઓ આવતા હતા ત્યારે ત્યાં આવવા માટેના રસ્તા પણ ખરાબ હતા અને ચારે બાજુ જંગલ હતું જોકે, હવે ખોખરા હનુમાન હરિહર ધામની જગ્યા જંગલમાં મંગલ સમાન બની ગઈ છે અને આપણે ત્યાં કહેવાય છે. "ગુરુ ગોવિંદ દોનો ખડે કા કો લાગુ પાઈ બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતાય" ગોવિંદ સુધી જવા માટેનો રસ્તો ગુરુ પાસે થઈને જાય છે.









