મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો


SHARE













મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ દારૂના કેસમાં નામ ખુલેલ હોય અને પકડાયેલ હોય મોરબી એલસીબી સ્ટાફ દ્વારા બુટલેગર ઈસમની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે મંજૂર થતા તેને પકડીને હાલ સુરતની મધ્યસ્થ લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં સંડોવાયેલ રવિ ભૂદરભાઇ પનારા કોળી (ઉમર ૨૪) રહે.નળખંભા તા.થાન જી. સુરેન્દ્રનગરની સામે એલસીબી પીઆઇ પંડ્યાની સૂચનાથી પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા સ્ટાફ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા હાલ રવિ ભુદરભાઇ કોળી રહે.નળખંભાને પાસા હેઠળ પકડવામાં આવ્યો હતો અને હાલ તેને સુરતની મધ્યસ્થ લાજપોર જેલ ખાતે મૂકવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામના રહેવાસી ગૌરીબેન રૂગનાથભાઈ ભીમાણી નામના ૬૩ વર્ષીય મહિલા શનાળા પાસે આવેલ પટેલ વાડી નજીકથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે તેઓ ત્યાંથી પડી ગયા હોય અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારામાં આવેલ હવેલી શેરી ખાતે રહેતા જાગૃતીબેન ચંદ્રકાંતભાઈ પટેલ નામના ૫૫ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબી રવાપર ચોકડીથી બસ સ્ટેશન બાજુ જતા રસ્તે સરદાર પટેલ ચોક ખાતે બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યા હતા.તેમજ શનાળા પાસેના ટાટાના શોરૂમ નજીક રહેતા રમાબેન સંજયભાઈ રાજપુત નામના ૨૮ વર્ષના મહિલા કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી જતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા






Latest News