મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો


SHARE







મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ દારૂના કેસમાં નામ ખુલેલ હોય અને પકડાયેલ હોય મોરબી એલસીબી સ્ટાફ દ્વારા બુટલેગર ઈસમની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે મંજૂર થતા તેને પકડીને હાલ સુરતની મધ્યસ્થ લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં સંડોવાયેલ રવિ ભૂદરભાઇ પનારા કોળી (ઉમર ૨૪) રહે.નળખંભા તા.થાન જી. સુરેન્દ્રનગરની સામે એલસીબી પીઆઇ પંડ્યાની સૂચનાથી પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા સ્ટાફ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા હાલ રવિ ભુદરભાઇ કોળી રહે.નળખંભાને પાસા હેઠળ પકડવામાં આવ્યો હતો અને હાલ તેને સુરતની મધ્યસ્થ લાજપોર જેલ ખાતે મૂકવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામના રહેવાસી ગૌરીબેન રૂગનાથભાઈ ભીમાણી નામના ૬૩ વર્ષીય મહિલા શનાળા પાસે આવેલ પટેલ વાડી નજીકથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે તેઓ ત્યાંથી પડી ગયા હોય અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારામાં આવેલ હવેલી શેરી ખાતે રહેતા જાગૃતીબેન ચંદ્રકાંતભાઈ પટેલ નામના ૫૫ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબી રવાપર ચોકડીથી બસ સ્ટેશન બાજુ જતા રસ્તે સરદાર પટેલ ચોક ખાતે બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યા હતા.તેમજ શનાળા પાસેના ટાટાના શોરૂમ નજીક રહેતા રમાબેન સંજયભાઈ રાજપુત નામના ૨૮ વર્ષના મહિલા કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી જતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા






Latest News