મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો


SHARE













મોરબીમાં દારૂના કેસમાં પકડાયેલ શખ્સને પાસા તળે જેલ હવાલે કરાયો

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ દારૂના કેસમાં નામ ખુલેલ હોય અને પકડાયેલ હોય મોરબી એલસીબી સ્ટાફ દ્વારા બુટલેગર ઈસમની સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે મંજૂર થતા તેને પકડીને હાલ સુરતની મધ્યસ્થ લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂનો ગુનો નોંધાયો હતો અને તે ગુનામાં સંડોવાયેલ રવિ ભૂદરભાઇ પનારા કોળી (ઉમર ૨૪) રહે.નળખંભા તા.થાન જી. સુરેન્દ્રનગરની સામે એલસીબી પીઆઇ પંડ્યાની સૂચનાથી પીએસઆઇ બી.ડી.ભટ્ટ તથા સ્ટાફ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા હાલ રવિ ભુદરભાઇ કોળી રહે.નળખંભાને પાસા હેઠળ પકડવામાં આવ્યો હતો અને હાલ તેને સુરતની મધ્યસ્થ લાજપોર જેલ ખાતે મૂકવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામના રહેવાસી ગૌરીબેન રૂગનાથભાઈ ભીમાણી નામના ૬૩ વર્ષીય મહિલા શનાળા પાસે આવેલ પટેલ વાડી નજીકથી બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે તેઓ ત્યાંથી પડી ગયા હોય અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે ટંકારામાં આવેલ હવેલી શેરી ખાતે રહેતા જાગૃતીબેન ચંદ્રકાંતભાઈ પટેલ નામના ૫૫ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબી રવાપર ચોકડીથી બસ સ્ટેશન બાજુ જતા રસ્તે સરદાર પટેલ ચોક ખાતે બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યા હતા.તેમજ શનાળા પાસેના ટાટાના શોરૂમ નજીક રહેતા રમાબેન સંજયભાઈ રાજપુત નામના ૨૮ વર્ષના મહિલા કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી જતા તેમને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા




Latest News