મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન


SHARE







મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન

મોરબી જીલ્લામાં વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે વિવિધ સ્પર્ધાત્મક રમતોનું આયોજન કરાયું છે.

મોરબીના વાઘપરામાં આવેલ સતવારા જ્ઞાતિ વાડીમાં આગામી તા 31 જુલાઈને શુક્રવારના રોજ રાતે 9:00 થી 12:00 વાગ્યા સુધી રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાસ ગરબા ઉપરાંત લીંબુ-ચમચી દોડ, કોથળા દોડ, સંગીત ખુરશી, ત્રણ પગી દોડ સહિતની રમતો પણ રમાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને સ્પર્ધાત્મક રમતોમાં ભાગ લેનાર બહેનોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેનાર બહેનોએ અગાઉથી પોતાનું નામ નોંધાવી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ કાર્યક્રમમાં ફક્ત બહેનો જ આવી શકશે. અને તમામ બહેનોએ ભારતીય પરંપરાગત વેશભૂષામાં આવવાનું રહેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બહેનો માટે નાસ્તાની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી છે. વધુ માહિતી માટે આરતીબેન ઝાકાસણીયા (9978294086), દેવાંગીબેન વ્યાસ (94849 65667) અને ધારાબેન હીરાણી (94294 71365)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News