તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી અને ડ્રેનેજના કામોની સંકલનની બેઠકમાં કરાઈ ચર્ચા


SHARE











મોરબીમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી અને ડ્રેનેજના કામોની સંકલનની બેઠકમાં કરાઈ ચર્ચા

મોરબી મહાપાલિકામા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં જનભાગીદારી હેઠળ સોસાયટીમાં થનાર પાણી, ડ્રેનેજ સહિતના વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામોનો વેરો ભરવા સહિતના મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઘણા વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સ્વભંડોળના કામો, નવી ગ્રામ પંચાયતમાં થનાર નાણાપંચના કામો, જનભાગીદારી યોજના હેઠળના કામો તથા પાણી અને ડ્રેનેજના કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત મહાપાલિકામાં જોડાયેલ ગ્રામ પંચાયતના વેરા સ્વીકારવા સહિતના કામોની ચર્ચા કરાઈ હતી. તેમજ નવી સમાવેશ કરાયેલ ગ્રામ પંચાયતની 15માં નાણાપંચની ગ્રાન્ટ વિકાસ કમિશનર દ્વારા જિલ્લા પંચાયત મારફત અપાશે. જેમાં 4.76 કરોડ તબક્કાવાર મહાપાલિકાને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, રવાપર રોડ અને બોરીયા પાટીના તળાવ બ્યુટીફિકેશનનું કામ, તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા થઈ હતી. તથા સફાઈ બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ છે. અને ખાસ કરીને ગ્રામ પંચાયતમાંથી આવેલ મિલ્કતોનો મહાપાલિકાના નિયમ મુજબ વેરો લેવો કે પંચાયતના નિયમ મુજબ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.






Latest News